પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર ખતરામાં દેખાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે પાકિસ્તાની સેના પણ ઈમરાન ખાનથી નારાજ છે. જે બાદ તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. આ મામલાને લઈને પાકિસ્તાની પત્રકાર અને કાર્યકર્તા તારેક ફતાહે કહ્યું કે ઈમરાન ખાન સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે અને તે લાંબો સમય ટકવાની નથી.
ઈમરાન ખાને તક ગુમાવી
પાકિસ્તાની બાબતો પર નિયમિત વાત કરતા તારેક ફતાહે કહ્યું કે પાકિસ્તાનની અંદર સૌથી મોટો મુદ્દો સરકાર ચલાવવાનો છે. એક વ્યક્તિએ આવીને અનેક દાવા કર્યા, પરંતુ એક પણ ગ્રાઉન્ડ વર્ક થયું નહીં. તમારી પાસે દેશ ચલાવવા માટે પણ પૈસા નથી. પાનની દુકાનના માલિક પણ જાણે છે કે ક્રેડિટ પર કામ લાંબો સમય ચાલી શકતું નથી. ઈમરાન ખાનના પોતાના ઘણા લોકો વોટ આપવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેમની પાસે જે તક હતી તે તેમણે ગુમાવી દીધી. તેઓ મેનેજમેન્ટ વિશે કંઈ જાણતા નથી. આ પહેલા પણ પાકિસ્તાનમાં આવું જ થતું આવ્યું છે.
તેમના જ પક્ષના સાંસદો બળવો કરી રહ્યા છે
તારેક ફતાહે વધુમાં કહ્યું કે, હું કહું છું કે હવે સંસદની અંદર નંબરોની રમત ચાલી રહી છે. આ સેનાની વાત નથી. જો સ્પીકર પણ પીએમની તરફેણમાં બોલે તો તમારા પર સવાલો ઉભા થાય છે. તે બધા જાણે છે કે પીટીઆઈના ઘણા બળવાખોર સાંસદો ઈમરાન વિરુદ્ધ છે અને તેઓએ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. ઈમરાન ખાન માત્ર હોહા કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેઓ જોખમમાં છે, પરંતુ તેઓએ સ્વીકારવું પડશે કે તમે ચૂંટાયા અને નિષ્ફળ ગયા.
તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનને બહુમત સાબિત કરવા માટે 172ના જાદુઈ આંકડાની જરૂર છે, પરંતુ અત્યારે તે શક્ય જણાતું નથી. ઈમરાન ખાનની પોતાની પાર્ટી પીટીઆઈના સાંસદ બળવાખોર વલણ અપનાવી રહ્યા છે, જેના પછી માનવામાં આવી રહ્યું છે કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ઈમરાન વિરુદ્ધ વોટ પણ કરી શકે છે. જોકે, ઈમરાન ખાન સ્પષ્ટપણે કહે છે કે તેઓ રાજીનામું નહીં આપે અને બહુમત સાબિત કરશે. હવે 3 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.