રશિયા-યુક્રેન યુદ્ધનો 37મો દિવસ, ચેર્નોબિલ પરમાણુ સાઇટ પરથી હટી રહી છે રશિયન સેના

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 37મો દિવસ છે. અત્યાર સુધી યુક્રેન પર રશિયન સૈનિકોના હુમલામાં કોઈ ઘટાડો થયો નથી. જો કે, રશિયાએ જાહેરાત કરી છે કે તે યુક્રેનના બે શહેરો પરના હુમલામાં ઘટાડો કરશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે રશિયન સેનાએ ચેર્નોબિલમાંથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે રશિયન સેનાએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે.

અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ 24 ફેબ્રુઆરીએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો જમાવ્યો હતો, જ્યાંથી તેણે હવે હટવાનું શરૂ કરી દીધું છે. “ચેર્નોબિલ એ વિસ્તાર છે જ્યાંથી તેઓ તેમના કેટલાક સૈનિકોને ખસેડી રહ્યા છે. સૈનિકો ચેર્નોબિલથી દૂર જઈ રહ્યા છે અને બેલારુસમાં પ્રવેશી રહ્યા છે,” અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ કહ્યું, “અમને લાગે છે કે તેઓ જતા રહ્યા છે, પરંતુ હું કહી શકતો નથી કે બધા સૈનિકો ગયા છે કે કેમ.” તમને જણાવી દઈએ કે યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના પહેલા જ દિવસે રશિયન સૈનિકોએ ચેર્નોબિલ સાઇટ પર કબજો કરી લીધો હતો. અહીં હજુ પણ મોટી માત્રામાં પરમાણુ કચરો સંગ્રહિત છે.

તે જ સમયે, રશિયન સૈનિકોએ 4 માર્ચે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ ઝાપોરિઝ્ઝ્યા પર પણ કબજો કર્યો. શેલિંગને કારણે તાલીમ કેન્દ્રમાં આગ લાગી હોવાના અહેવાલો છે. રશિયા દ્વારા ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે પરમાણુ દુર્ઘટનાની આશંકા હોવાથી યુએન પરમાણુ વોચડોગના વડા રાફેલ ગ્રાસીએ બુધવારે દક્ષિણ યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી, કારણ કે રશિયા દ્વારા ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે પરમનું દુર્ઘટનાને લઈને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

Scroll to Top