ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગુજરાતના પનોતાપુત્ર PM નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે અને સભાઓને સંબોધશે. તદઉપરાંત વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કરશે. ત્યાં જ ગાંધીનગર પહોંચતાની સાથે જ પીએમ મોદી ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન મોદી આજે તા. 18 એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. જેના ભાગ રૂપે પ્રથમ દિવસે પીએમ મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે રિયલટાઇમ ઓનલાઇન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રથમવાર રૂબરૂ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રીનો ત્રણ દિવસનો કાર્યક્રમ
18 એપ્રિલ
– સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે
– સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે
– રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
19 એપ્રિલ
– બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે
– દિયોદર ખાતે જનસભામાં હાજર રહેશે
– દિયોદર બાદ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે
– પીએમ મોદી બપોરે 1.20 વાગે જામનગર પહોંચશે
– 5 વાગે અમદાવાદ આવશે
– રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
20 એપ્રિલ
– પીએમ મોદી મહાત્મા ગાંધી મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે
– દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુરત કરશે
– સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે