રશિયાએ પોતાના જ સૈનિકો પર દાગ્યા આગના ગોળા, અનેક સૈનિકોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે. યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે રશિયન સેનાએ ભૂલથી તેના જ સૈનિકો પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા. યુક્રેનના સૈન્ય અધિકારીઓએ રશિયાનો આભાર માન્યો છે.

રશિયન સેનાએ ફ્લેમથ્રોવરથી તેના સૈનિકો પર હુમલો કર્યો

ધ મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનની સેનાને વધુ એક આંચકો લાગ્યો છે. રશિયન સૈનિકો આકસ્મિક રીતે તેમની પોતાની સેના દ્વારા માર્યા ગયા હતા. રશિયન સેનાએ ફ્લેમથ્રોવરથી તેના સૈનિકો પર હુમલો કર્યો, પરંતુ જ્યારે રશિયન સેના હુમલો કરી રહી હતી ત્યારે તેને ખબર નહોતી કે તે યુક્રેનના સૈનિકોને નહીં પણ તેના સૈનિકોને મારી રહી છે.

યુક્રેનના સૈન્ય અધિકારીઓએ આ માહિતી આપી હતી

પોતાની સેના દ્વારા રશિયન સૈનિકો પર હુમલા બાદ યુક્રેનના સૈન્ય અધિકારીઓએ રશિયાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, રશિયન સેનાએ અમને મદદ કરી, આ માટે તમારો આભાર. રશિયન સેનાએ યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા પ્રાંતમાં તેના સૈનિકો પર હુમલો કર્યો હતો.

માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જાણી શકાઇ નથી

જોકે, રશિયન સેનાની ભૂલ પર રશિયાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. રશિયન સેનાના હુમલામાં તેના કેટલા સૈનિકો માર્યા ગયા તે જાણી શકાયું નથી. આ દરમિયાન યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે રશિયન સૈનિકો પોતે જ તેમના વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેથી તેમને યુક્રેનમાં વધુ લડાઈ ન કરવી પડે.

આ સાથે જ અમેરિકી ગુપ્તચર એજન્સીએ રુસ-યુક્રેન યુદ્ધ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી રાજધાની કિવમાં 390 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, જેમાંથી 222 રહેણાંક એપાર્ટમેન્ટ્સ છે.

Scroll to Top