ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી અંબાતી રાયડુના ટ્વિટર હેન્ડલ પરથી તેની નિવૃત્તિ અંગે એક ટ્વિટ કરવામાં આવી હતી. થોડા સમય બાદ આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી. આ અંગે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથન કહે છે કે આ ફેક ન્યૂઝ છે. હજુ સુધી રાયડુએ આ અંગે કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી.
રાયડુએ વર્ષ 2020 પછી ટ્વિટ કર્યું નથી
પરંતુ અચાનક શનિવારે તેમની નિવૃત્તિની ટ્વિટ સામે આવી, જે બાદમાં ડિલીટ કરી દેવામાં આવી.રાયડુએ ડિલીટ કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે, “મને જણાવતા આનંદ થાય છે કે આ મારી છેલ્લી IPL સિઝન છે. મેં છેલ્લા 13 વર્ષમાં 2 ટીમો સાથે સારો સમય પસાર કર્યો છે. હું આ પ્રવાસ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો આભાર માનું છું
Ambati Rayudu first announced his retirement from IPL, then deleted the tweet. #ambatirayudu pic.twitter.com/OgPSknDpup
— Aditya Kumar (@adityavaisya) May 14, 2022
ઉલ્લેખનીય છે કે રાયડુની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 187 IPL મેચમાં 4187 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 22 અડધી સદી અને એક સદી ફટકારી છે. IPLમાં રાયડુનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 100 રન છે. તેણે IPL 2018માં 602 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. અંબાતી રાયડુની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં.પરંતુ તે સારું રહ્યું છે. તેણે 55 વનડેમાં 1694 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 10 અડધી સદી ફટકારી છે. તેણે 6 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ પણ રમી છે. રાયડુ આ ફોર્મેટમાં વધુ રન બનાવી શક્યો નહોતો.