ગુજરાતના મોરબીમાં ભયાનક અકસ્માત, દિવાલ ધરાશાયી થતા 12 મજૂરોને કાળ ભરખી ગયો

ગુજરાતના મોરબીમાં એક મોટો અકસ્માત થયો છે. મોરબીમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 12 મજૂરોના મોત થયા હતા. અત્યારે અન્ય ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના હળવદમાં આવેલ સાગર સોલ્ટ નામની કંપનીમાં આ અકસ્માત સર્જાયો હતો. દિવાલ ધરાશાયી થવાના કારણે કાટમાળમાં લગભગ 30 મજૂરો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Scroll to Top