ભડકાઉ ભાષણ આપવાના મામલે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમની સામે દિલ્હીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ઓવૈસી વિરુદ્ધ એફઆઈઆર નોંધતી વખતે, પોલીસના IFSO યુનિટે તેમને ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ નામાંકિત કર્યા છે. FIRમાં સ્વામી યતિ નરસિમ્હાનંદનું પણ નામ છે. તે દશના દેવી મંદિરના પૂજારી છે.
આ લોકો સામે પણ FIR
દિલ્હી પોલીસની FIRમાં 13 લોકોના નામ છે. જેમાં નુપુર શર્મા, નવીન જિંદાલ, ઓવૈસી, શાદાબ ચૌહાણ, સબા નકવી, યેતી નરસિમ્હાનંદ, દાનિશ કુરેશી, વિનીતા શર્મા, અનિલ કુમાર મીના છે. આ તમામ પર ધાર્મિક લાગણી ભડકાવવા, ભડકાઉ ભાષણ આપવા, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનો આરોપ છે.
We have registered 2 FIRs under appropriate sections on the basis of social media analysis against those trying to disrupt public tranquility & inciting people on divisive lines.
One pertains to Ms Nupur Sharma & other against multiple social media entities.— Delhi Police (@DelhiPolice) June 9, 2022
જણાવી દઈએ કે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા પર થયેલા હંગામા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રવક્તા નુપુરને સસ્પેન્ડ કરી દીધી હતી. આ સાથે દિલ્હી મીડિયા સેલના વડા નવીન જિંદાલની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે કહ્યું કે તેઓએ કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે, જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને જાહેર શાંતિ જાળવવા માટે હાનિકારક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO)ના એક અધિકારીએ ANIને જણાવ્યું કે પોલીસે વિવિધ ધર્મના ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.