રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ આજે (7 જુલાઈ) પ્રથમ T20 મેચ રમશે. ઘણા દિગ્ગજ ખેલાડીઓને પ્રથમ T20 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયામાં ચાર ઓપનર બેટ્સમેન છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા કયા ખેલાડી સાથે ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે.
ટીમ ઈન્ડિયામાં હાજર આ 4 ઓપનર
ભારતીય ટીમમાં રોહિત શર્મા ઉપરાંત ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન હાજર છે. ઋતુરાજ ગાયકવાડ ખૂબ જ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આયર્લેન્ડ પ્રવાસમાં પણ તે શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. ત્યા જ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું. આવી સ્થિતિમાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો બતાવી શકાય છે.
સંજુ સેમસને વધાર્યું રોહિતનું ટેન્શન
સંજુ સેમસને આયર્લેન્ડ પ્રવાસ પર ઓપનિંગ કરતી વખતે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 42 બોલમાં 77 રન બનાવ્યા હતા, પરંતુ રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે શાનદાર વાપસી કરી છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની જગ્યાએ ત્રીજા નંબર પર સંજુ સેમસનને તક આપવામાં આવી શકે છે. સાથે જ ઈશાન કિશનને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા શ્રેણી અને આયર્લેન્ડ પ્રવાસમાં શાનદાર ઇનિંગ્સ રમી છે.
પહેલાથી જ ઓપનિંગ અનુભવ ધરાવે છે
ઈશાન કિશન પાસે ઓપનિંગનો અથાગ અનુભવ છે, જે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશને ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. તે વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. ઈશાન કિશને 17 T20 મેચમાં 524 રન બનાવ્યા છે. જો તે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સારું પ્રદર્શન કરશે તો તેને T20 વર્લ્ડ કપમાં તક મળી શકે છે.
રોહિત સાથે ઓપનિંગ જોડી બનશે
ઈશાન કિશન અને રોહિત શર્મા ભારત તરફથી ઓપનિંગની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ત્યા જ બંને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ ઓપનિંગ કરે છે. રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામે તે વેગ પકડવા ઈચ્છશે.