આ ખેલાડીને ટીમમાં સ્થાન ન મળવાથી પ્રશંસકો ગુસ્સે, કહ્યું- BCCI બરબાદ કરી રહ્યું છે કરિયર

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. કેપ્ટન રોહિતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પ્રથમ વખત અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયામાં તક આપી હતી, પરંતુ સ્ટાર બેટ્સમેનને નજરઅંદાજ કર્યા હતા. જેના કારણે ફેન્સનો ગુસ્સો BCCI પર ફાટી નીકળ્યો છે.

આ ખેલાડીને સ્થાન મળ્યું નથી

કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર ખેલાડી સંજુ સેમસનને તક આપી નથી, જ્યારે સંજુ સેમસન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. તેણે આયર્લેન્ડ પ્રવાસમાં 77 રનની તોફાની ઇનિંગ રમી હતી. સંજુ સેમસન વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત ખેલાડી છે. તેમ છતાં આવા ખતરનાક ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક નથી મળી રહી.

પસંદગીકારો હંમેશા અવગણના કરે છે

પસંદગીકારોએ ઇશાન કિશન અને ઋષભ પંતને જેટલી તકો આપી તેટલી તકો સંજુ સેમસનને મળી નથી, જ્યારે તે IPL અને સ્થાનિક ક્રિકેટમાં પણ રન બનાવી રહ્યો છે. સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. તેણે IPL 2022ની 14 મેચોમાં 489 રન પણ બનાવ્યા હતા.

ચાહકો ગુસ્સે થઈ ગયા

સંજુ સેમસનને પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં જ સ્થાન આપ્યું હતું અને તેમાં પણ રોહિત શર્માએ તેને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવ્યો ન હતો. એક યુઝરે લખ્યું છે કે તેના શાનદાર પ્રદર્શન છતાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવી રહ્યો નથી. ત્યા જ અન્ય એક યુઝરે લખ્યું છે કે સંજુ સેમસન T20 ક્રિકેટનો મહાન ખેલાડી છે, તેમ છતાં BCCI તેની અવગણના કરી રહ્યું છે.

2015માં ડેબ્યૂ કર્યું હતું

સંજુ સેમસને વર્ષ 2015માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાં પોતાની કાયમી જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે પણ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે છે અથવા કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે જ તેને ટીમ ઈન્ડિયામાં તક મળે છે. સંજુ સેમસને ભારતીય ટીમ માટે 14 મેચમાં 251 રન બનાવ્યા છે.

Scroll to Top