આ કારણો થી ભગવાન રામ ને કહેવાય છે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ક્લિક કરી ને જાણો.

ભગવાન રામ નું નામ જે વ્યક્તિ ના જીવન ના શરૂઆત થી લઈ અંત સુધી લે છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે એમના ઘરે એક રામ જેવો પુત્ર હોય ,સીતા જેવી વહુ અને લક્ષ્મણ જેવો ભાઈ હોય અને હનુમાનજી જેવા સેવક હોય. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ના જીવન પર એક નજર નાખીએ તો એમના ગુણો ને જીવનમાં ઉતારવા ના પ્રત્યનો કરીએ તો આપણું જીવન પણ એમના જેવું સુખમય થઈ જાય. આજે અમે ભગવાન રામ ના કેટલાક એવા ગુણો વિશે તમને બતાવીએ.જેને જાણી ને તેનો અમલ કરીને ભગવાન રામ જેટલા ગુણવાન બની શકીએ છે. આવો જાણીએ કે કેમ ભગવાન રામ ને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવાય છે.

આ ગુણો ના લીધે બનાવ્યાં મર્યાદા પુરુષોત્તમ.

તમને બતાવી દઈએ કે ભગવાન રામ તેમના આદર્શ ચરિત્ર ના લીધે ઓળખાઈ છે. ભગવાન રામ ના જન્મ પહેલાં સુર અને અસુર ના નામ લેવામાં આવતું હતું.એટલું જ નહીં લોકો વચ્ચે માનવતા નું કોઈ મહત્વ ન હતું. ભગવાન રામ ને મર્યાદા પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવે છે એમણે કોઈ પણ પ્રકાર ની પરિસ્થિતિમાં એમની મર્યાદા નથી છોડી. પોતાના અલૌકિક સ્વભાવ,અદ્ભૂત કાર્યો, ઉત્તમ શીલ, અદ્વિતીય વીરતા, અનુકરણીય, સહનશીલતા, વિનમ્રતા, ધર્મપ્રિયતા, પ્રોરોપકાર, સ્વાર્થ ત્યાગ આ બધાં તેમને લોકો ના મનમાં પોતાની પ્રતિ પ્રેમ અને સારી છબી બનાવી દીધી હતી.

રામ ના ગુણો ની લીલા.

રામના જીવન સાથે જોડાયેલી એમના ગુણો સાથે જોડાયેલી રામલીલા પુરા ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં માં ફેલાયેલી છે. જેમાં રામકથા નું ગાયન લોકો નું મનમોહી લે છે અને મંચન સાત્વિક સંસ્કારો થી અભિમંત્રિત કરે છે.

તુલસીદાસજી એ પ્રારંભ કરી રામલીલા.

તમને બતાવીએ કે રામ ચરિત માનસ ના પ્રચાર પ્રસાર માટે તુલસીદાસજી એ જ આની શરૂઆત કરી હતી. તુલસીદાસજી એ રામલીલા પેહલા જ રામકથા ગાયન અને નાટય સ્વરૂપ ની જાણ મળતી હતી. વાલ્મિકી રામાયણ માં લવકુશ રામકથા નું ગાયન કરતા હતાં. આ રીતે મહાભારત થતાં હરિવંશ પુરાણ માં રામ ના ચરિત્ર ને લઈ નાટક નો ઉલ્લેખ કર્યો છે.

કેટલા પ્રકાર ની હોય છે લીલા.

આધ્યાત્મિક પ્રકાર થી જોઈ એ તો લીલા ત્રણ પ્રકાર ની હોય છે.

નિત્યલીલા – જે વ્યક્તિ ના જીવનમાં દિનપ્રતિદિન ઘટી રહી છે.

અવતાર લીલા – ઈશ્વર માનવ જાતિ ના કલ્યાણ માટે પૃથ્વી પર જન્મ લે છે.

અનુકરણ લીલા – આ લીલા ને જરીએ મનુષ્ય ઈશ્વરના અવતાર નું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે.

દુષ્ટો નો કર્યો અંત ના ઉઠાવ્યો કોઈ લાભ.

શ્રીરામ હંમેશા બીજાના ભલા માટે કાર્યો કર્યા છે. તેમને એમના જીવનમાં કોઈ લાભ નથી ઉઠાયો એમણે એમનું રાજ્ય એમના ભાઈઓ ને સોંપીને 14 વર્ષ નો વનવાસ કરવા માટે નીકળી ગયાં. પાછા આવીને પણ પ્રજા ના ભલા માટે વિચારતાં અને એમના દુઃખો નું નિવારણ કર્યું.રામાયણ અને રામચરિત્ર નું તથ્ય જ એ જ છે ન્યાયી ની સહાયતા પશુ પક્ષી પણ કરે છે.કુમાર્ગ પર ચલવા વાળ નો સાથ સાગો ભાઈ પણ છોડી દે છે.

તારક નામ છે રામ.

રામ નામ ના અર્થ ને ધર્મ શાસ્ત્રો માં અમોધ કહ્યું છે. આ નામ માં એટલી શક્તિ હોય છે કે આ સંસાર તો શું પરલોક ના સંકટ દૂર કરવા જેટલું સક્ષમ છે. એવું માનવામાં આવ્યું છે કે અંતીમ સમય માં રામ ના નામ લેવા વાળા ની મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.રામચરિતમાનસ માં તુલસીદાસજી ને રામનામ ની ઘણી મહિમા ગાઈ છે.

રામનામ કી ઐષધી ખરી નિયત સે ખાઈ અંગરોગ વ્યાપે નહીં મહારોગ મિતજાએ. અર્થાત રામ નામ ની જપ એક એવી ઐષધી સમાન છે જે સાચા હૃદય થી જપે તો બધી આધી વ્યાધિ દૂર થઈ જાય, મન ને પરમ શાંતિ મળે છે.

વિદેશોમાં પણ રામ નામ ની ધૂન.

બતાવી દઈ એ કે મર્યાદા પુરુષોત્તમ રામ નામ ની ધૂન સિર્ફ આ દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે .પુરા વિશ્વમાં ગણા એવાં દેશ છે જ્યાંએમની જીવનલીલા વર્ણવવામાંઆવેછે. સુમાત્રા, જાવા, કોરિયા, મલેશિયા જેવા દેશોમાં અતિ પ્રાચીનકાળથી રામકથા પ્રચલિત છે. ઘણા દેશોમાં રામલીલા કરે છે જે હિંદુ ધર્મના પણ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top