ભૂલથી પણ રાત્રે આ 5 વસ્તુઓ ના ખાઓ, થશે મોટી સમસ્યા

સૂતા પહેલા ટામેટા ન ખાવા જોઈએ. તે એસિડિક છે, જેનું સેવન કરવાથી તમને રાત્રે અપચોની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તેમાં ટાયરામાઈન પણ હોય છે. તે એક એમીનો એસિડ છે, જે મગજની માનસિક પ્રવૃત્તિ વધારવામાં મદદ કરે છે. જેના કારણે ઊંઘમાં સમસ્યા થઈ શકે છે.

બ્રોકોલીમાં ટ્રિપ્ટોફેન હોય છે અને તે ઊંઘમાં મદદ કરે છે, પરંતુ જો તમે તેને સૂતા પહેલા કાચું ખાશો તો તમને ઊંઘમાં તકલીફ થઈ શકે છે કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે. તેને પચવામાં વધુ સમય લાગે છે. જે તમારા માટે ઊંઘવું મુશ્કેલ કરી દેશે.

ચિકન પ્રોટીનથી ભરપૂર હોય છે. જેને પચાવવા માટે ઘણી ઉર્જા જરૂરી છે. આ પ્રોટીનમાં એમિનો એસિડ ટાયરોસિન હોય છે. જેના કારણે મગજની ગતિવિધિ વધે છે.

મસાલેદાર ખોરાક ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જેના કારણે ઊંઘમાં પણ સમસ્યા થાય છે. આ સિવાય જો સૂતા પહેલા મસાલેદાર ખોરાક ખાવામાં આવે તો તેનાથી ગરમીનો અહેસાસ થઈ શકે છે. જેના કારણે તમને ઊંઘમાં તકલીફ થઈ શકે છે.

ચીઝમાં એમીનો એસિડ ટાયરામાઇન ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તમારું મગજ લાંબા સમય સુધી સક્રિય રહે છે. આ તમને પરેશાન કરી શકે છે અને તેના કારણે તમે લાંબા સમય સુધી જાગતા રહી શકો છો.