છૂટાછેડા બાદ મલાઈકા અરોરાએ બધા પતિઓને આપી મોટી સલાહ, કહ્યું- ‘જો તમારી પત્ની…’

નવી દિલ્હીઃ મલાઈકા અરોરા અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ પોતાની ફિટનેસ અને પ્રોફેશનલ લાઈફ કરતા વધારે રિલેશનશિપના કારણે ચર્ચામાં રહે છે. મલાઈકાએ તેના ઓટીટી શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’માં તેના જીવન સાથે જોડાયેલા ઘણા રસપ્રદ ખુલાસા પણ કર્યા હતા. શોમાં આ અભિનેત્રીએ પોતાના અંગત જીવનના દરેક પાસાઓ પર ખુલીને વાત કરી હતી. આ દિવસોમાં આ અભિનેત્રીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

મલાઈકા અરોરાએ યંગ ઈન્ડિયન્સની સાતમી નેશનલ સમિટ ‘ટેક પ્રાય 2023’માં આવું નિવેદન આપ્યું છે જે સોશિયલ મીડિયા યુઝર્સનું ઘણું ધ્યાન ખેંચી રહ્યું છે. આ ઈવેન્ટમાં પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરતા મલાઈકા અરોરાએ તમામ પતિઓને એક સલાહ આપી છે.

મલાઈકાએ પોતાના ‘પાર્ટનર’ના વખાણ કર્યા – ઈવેન્ટમાં પોતાની પર્સનલ લાઈફ વિશે ચર્ચા કરતી વખતે ફેશન આઈકને થોડા ઈશારામાં તેના બોયફ્રેન્ડના વખાણ પણ કર્યા. મલાઈકાએ કહ્યું કે તે તેના જીવનમાં યોગ્ય વ્યક્તિને ઘણું મહત્વ આપે છે અને તેને એક ખૂબ જ સારો વ્યક્તિ મળ્યો છે.

પત્નીને પુરુ સન્માન આપો- મલાઈકાએ આ ઈવેન્ટમાં હાજર તમામ પતિઓને કહ્યું એક એવી વાત જે આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. તે કહે છે, “હું અહીં હાજર તમામ પુરુષોને કહેવા માંગુ છું કે જો તમારી પત્ની અહીં તમારી સાથે છે અથવા ઘરે તમારી રાહ જોઈ રહી છે, તો તેની પાસે જાઓ. તેમને સંપૂર્ણ સન્માન આપો કારણ કે તમારા જીવનમાં તમારી પત્નીનું ઘણું મહત્વ છે. જો તમારી પત્ની ખુશ છે તો તે તમારું જીવન સારું બનાવવા માટે તમને દરેક રીતે મદદ કરશે.

મલાઈકાએ ભલે અરબાઝ ખાનને છૂટાછેડા આપી દીધા હોય પરંતુ બંને હજુ પણ તેમના પુત્ર અરહાનના કારણે જોડાયેલા છે. મલાઈકા અને અરબાઝ પણ ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

Scroll to Top