પ્રભાસે કર્યો મોટો ખુલાસો, આ જગ્યાએ કરશે લગ્ન

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ 16મી જૂને રિલીઝ થવાની છે. આ પહેલા ફિલ્મને લઈને ઘણી મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ આદિપુરુષની આખી ટીમ તિરુપતિ બાલાજી પહોંચી હતી. ફિલ્મનું નવું ટ્રેલર અહીં લોન્ચ કરવામાં આવ્યું હતું અને પ્રભાસ અને કૃતિએ મીડિયા અને ફેન્સ સાથે વાતચીત પણ કરી હતી. રામ અને જાનકી સાથે જોડાયેલા પ્રશ્નોમાં પ્રભાસને તેના લગ્ન વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આ સવાલ પર પ્રભાસ જરા પણ ખચકાયા નહીં અને એવો જવાબ આપ્યો કે આખી ઘટના બાદ હવે આ વાતની ચર્ચા થઈ રહી છે. પ્રભાસે જવાબ પણ આપ્યો અને લગ્ન ક્યાં કરશે તે વિશે પણ જણાવ્યું હતું.

તિરુપતિમાં થશે પ્રભાસના લગ્ન

પ્રભાસના ફેન્સ સાથે વાતચીત દરમિયાન એક ફેને પૂછ્યું કે તમે ક્યારે લગ્ન કરશો? આના પર પ્રભાસે કહ્યું, લગ્ન? હું કોઈ દિવસ ચોક્કસ કરીશ અને જ્યારે પણ કરીશ ત્યારે લગ્ન તિરુપતિમાં જ થશે. છેલ્લા કેટલાક સમયથી પ્રભાસ અને ક્રિતિના ડેટિંગના સમાચાર ચર્ચામાં છે. હવે ફિલ્મના પ્રમોશન માટે બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે, પરંતુ બંનેએ અફેરના સમાચારોને નકારી કાઢ્યા છે.

ફિલ્મનો ભાગ બનવા માટે ખુબ ભાગ્યશાળી કહી રહ્યા છે લોકો

ઈવેન્ટ દરમિયાન પ્રભાસે જણાવ્યું હતું કે લોકો તેને આ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ભાગ્યશાળી કહી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પણ પ્રભાસને આ પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા. પ્રભાસે કહ્યું, ‘એક વખત ચિરંજીવી સરે મને પૂછ્યું કે શું તમે રામાયણ કરી રહ્યા છો? મેં કહ્યું – હા. પછી તેમણે કહ્યું કે આ તમારા માટે બ્લેસિંગ છે. દરેક જણ એટલા નસીબદાર નથી હોતા કે આવા પ્રોજેક્ટનો ભાગ બનવાની તક મળે.

Scroll to Top