ઘરમાં મોરપીંછ લગાવો થશે આ ફાયદા

મોર ભગવાન કાર્તિકેયનુ વાહન છે. કાર્તિકેય દેવતાઓની સેનાના સેનાપતિ છે. પણ તેમણે ખુદના વાહનના રૂપમાં મોરને પસંદ કર્યા છે. મોરપીંછ ઘણા દેવતાઓનુ પ્રિય આભૂષણ છે. જેવા કે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી ગણેશ અને કાર્તિકેય જી. વિદ્યાની દેવી સરસ્વતી માતાનુ વાહન હોવાને કારણે વિદ્યાર્થી વર્ગ પણ પોતાના પુસ્તકોની અંદર મોરપીંછ રાખતા હોય છે. તો આવો જાણીએ મોરપીંછનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફાયદા…

ઘરમાં મોરપીંછ એવા સ્થાન પર લગાવો જ્યાથી તે સહેલાઈથી દેખાતુ રહે. મોરપીંછ ઘરમાં રાખવાનુ ઘણુ મહત્વ છે તેના ધાર્મિક પ્રયોગ પણ છે.

દેવ વાહિની તંત્રમાં મોરપીંછની વિગત આપવામાં આવી છે. સમસ્ત શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીંછને મહત્વપુર્ણ સ્થાન  છે.

મોરપીંછથી બનેલ પંખાને ઘરની અંદર ઉપરથી નીચે ફેરવવાથી ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. મોરપીંછને માથા પર ધારણ કરવાથી વિદ્યા લાભ પ્રાપ્ત થાય છે.

મોરપીંછથી ઘરના વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે.

સાપ મોરપીંછ થી ગભરાય છે કારણ કે મોરનો પ્રિય આહાર સાંપ છે.  તેથી સાંપ એ સ્થાન પર નથી આવતા જ્યાં તેમને મોર કે મોરપીંછ દેખાતા હોય.

ઘરમાં મોરપીંછ મુકવાથી શુભ્રતાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સદૈવ પોતાની પાસે મોર પંખ  રાખે છે તેના પર કોઈ અમંગળ થતુ નથી.

Scroll to Top