મુંબઈ, અમદાવાદ, સુરતથી 2 કરોડનું સોનું લઈને જતો વેપારી રેલવે સ્ટેશન પર લૂંટાઇ ગયો

દિલ્હીના પહાડગંજમાં બુધવારે એક વેપારી પાસેથી 2 કરોડ રૂપિયાનું સોનું લૂંટી લેવામાં આવ્યું હતું. હોટલમાંથી નીકળીને તે રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. પોલીસને શંકા છે કે આ કેસમાં કોઈ બાતમીદાર હોય શકે છે.

રેલવે સ્ટેશન પર જતી વખતે લૂંટ

મળતી માહિતી મુજબ પહાડગંજની હોટલમાં એક વેપારી રોકાયો હતો. સવારે તે હોટલમાંથી રેલ્વે સ્ટેશન જવા નીકળ્યો હતો. તે રેલવે સ્ટેશન નજીક ફ્લાયઓવરની નીચે પહોંચ્યો ત્યારે પહેલાથી જ ઘૂસી આવેલા બદમાશોએ તેને ઘેરી લીધો અને સોનું લઈ ગયા. લૂંટાયેલા સોનાની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસ હોટલના સીસીટીવી પણ ચેક કરી રહી છે.

પોલીસને સવારે 5.45 વાગ્યાની આસપાસ લૂંટની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું કે બે વ્યક્તિઓ બે બેગ અને દાગીનાથી ભરેલું બોક્સ ચંદીગઢ અને લુધિયાણા લઈ જવાના હતા. રસ્તામાં 4 લોકોએ તેને રોક્યો. આરોપીઓ પૈકી એક પોલીસ યુનિફોર્મમાં હતો. તપાસના નામે બે બદમાશોએ બંને ધંધાર્થીઓને રોક્યા હતા. ત્યારબાદ અન્ય બે બદમાશો પણ પાછળથી આવ્યા હતા અને વેપારીઓની આંખમાં મરચાનો પાવડર નાંખી બેગ તેમજ દાગીના ભરેલ બોક્સ લઈને ભાગી ગયા હતા. જ્વેલરીની અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. તેણે દાવો કર્યો છે કે તેને કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી છે અને ટૂંક સમયમાં આ મામલાનો પર્દાફાશ કરવામાં આવશે.

જ્વેલરીનો માલ અલગ-અલગ જગ્યાએથી આવ્યો હતો

આ જ્વેલરીના કન્સાઈનમેન્ટ મુંબઈ, અમદાવાદ, સુરત જેવા વિવિધ સ્થળોએથી આવ્યા હતા, જે ચંદીગઢ અને લુધિયાણા લઈ જવાના હતા. આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ 402, 392, 394, 34 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.

Scroll to Top