આ વ્યક્તિ જાણે છે સુશાંતસિંહનાં આત્મહત્યા નું કારણ,જાણો શુ છે સુસાઈડ નું સાચું કારણ…

મિત્રો દિન પ્રતિ દિન સુશાંત ને લઈને નવી નવી જાણકારી ઓ બહાર આવી રહી છે.ત્યારે એક દિગ્ગજ બોલિવુડ ની હસ્તીએ કહ્યું છે કે સુશાંતસિંહ નું મોત કેવી રીતે થયું.દિગ્દર્શક શેખર કપૂરે પણ સુશાંતના મોત પર દુ: ખ વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વીટ કર્યું છે કે અભિનેતાની આત્મહત્યા ખૂબ પીડાદાયક છે. આ સાથે તેણે ટ્વીટમાં લખ્યું છે કે હું એ પીડા અનુભવી રહ્યો છું જેમાંથી તું પસાર થયો હું તે લોકોની વાત પણ જાણું છું કે જેણે તને નબળો પાડી દીધો અને જેના કારણે તે મારા ખભા પર ઢળી આંસુ સાર્યા હતા. કાશ કે હું છેલ્લા 6 મહિનામાં તારી સાથે હોત.કાશ તે મારી સાથે વાત કરી હોત જે કંઈ પણ થયું તે કોઈ બીજાના કર્મે છે તારા નહીં.તને આટલો નબળો કરવા પાછળ ના ગુનેગારોને હું જાણું છું.

શેખર કપૂર અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘પાની’ માં સાથે કામ કરવાના હતા.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી.પરંતુ યશરાજ બેનરે તેમાંથી હાથ ખેંચી લીધા તેના કારણે ફિલ્મ અટકી ગઈ હતી. એવા અહેવાલો હતા કે શેખર આ ફિલ્મ રિતિક રોશન સાથે બનાવવા માંગતો હતો.

પરંતુ આશુતોષ ગોવારિકરના મોહેંજોદારોના કારણે રિતિક આ પ્રોજેક્ટનો ભાગ બની શક્યો નથી.આ સિવાય શેખર આ ફિલ્મમાં એક હોલીવુડ સ્ટારને કાસ્ટ કરવા માંગતો હતો પરંતુ અંતે તેણે સુશાંત સિંહ રાજપૂતની પસંદગી કરી હતી. શેખર કપૂરે એમ પણ કહ્યું હતું કે સુશાંતે આ પ્રોજેક્ટ માટે ખૂબ મહેનત કરી હતી.પરંતુ જ્યારે યશરાજે આ ફિલ્મ બનાવવાની ના પાડી ત્યારે તે ખૂબ નિરાશ થયો હતો.

સુશાંતના અવસાન બાદ હવે લોકો કરણ જોહર, આલિયા ભટ્ટ જેવા સેલેબ્સને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે સુશાંત સ્ટાર કિડ નહોતો, તેથી તેને ઇન્ડસ્ટ્રીમાં ભત્રીજાવાદનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે કંગના રનોતનો સામે આવેલો વિડીયો પણ આ બાબતને જ સુશાંતસિંહ રાજપૂતનાં મોતનું કારણ છે તેવું બતાવી રહ્યા છે.આ દરેક વાત પરથી એક વસ્તુ નિશ્ચિત થાય છે કે સુશાંતસિંહ ના સુસાઈડ નું કારણ ક્યાંક ને ક્યાંક બૉલીવુડ જ છે.આ સિવાય અન્ય બૉલીવુડ સ્ટાર્સ એ પણ પોતાની પ્રતિક્રિયા દર્શવી હતી આવો જાણીએ તેના વિશે વિગતે.

બોલિવૂડ માં બહાર થી આવેલા વ્યક્તિઓને ચાન્સ મળતાં નથી માત્ર અંદર વાડાજ રાજ કરે છે.સુશાંત સિંહની આત્મહત્યાને લઈને કંગના લખ્યું હતું કે સુશાંત જેવો જિદાદિલ માણસ આત્મહત્યા ન કરી શકે.જે માણસ ટોપર આવતો હોય તે આવું પગલું ન ભરી શકે.તેણે જે ટૂંકાગાળામાં બોલિવૂડમાં જગ્યા બનાવી હતી.બોલિવૂડમાં આઉટ સાઈડર્સને આગળ વધતા અટકાવવામાં આવે છે અને તેમને કામ ન મળે એવા પ્રયાસો થાય છે.સુશાંતસિંહ પાસે કોઈનો સ્પોર્ટ ના હતો તેવો પણ દાવો કરાયો છે.

એ પહેલાં કરણ જોહરે સુશાંતના આપઘાત અંગે દુ:ખ વ્યક્ત કરતા ભાવનાત્મક મેસેજ લખ્યો હતો કે તે સુશાંત સાથે છેલ્લાં છ મહિનાથી સંપર્કમાં ન હતો તેનું તેને દુ:ખ છે. કરણ જોહરે કાઉન્સેલિંગ માટે એક પ્રોગ્રામ શરૂ કરવાની પેશકશ કરી હતી.

આ વિવાદમાં બબિતા ફોગાટે પણ ઝંપલાવ્યું હતું. બબિતા ફોગાટે લખ્યું હતું કે બોલિવૂડ ત્રણ-ચાર પરિવારના કબજામાં આવી ગયું છે. એમાંથી તેને બહાર કાઢવાની જરૂર છે.દેશવાસીઓએ એકજૂટ થઈને ભાઈ-ભત્રીજા વાદને ખતમ કરવો જોઈએ.અને સચ્ચાઈ તરફ પ્રયાણ કરો અને સુશાંતસિંહ ને ન્યાય આપવામાં મદદરૂપ થવું જોઈએ.હાલમાં સમગ્ર બૉલીવુડ માં એક પછી એક લોકોસલમાન થી લઈને કરણ સુધી નો વિરોધ કરી રહ્યાં છે.બબિતાએ તો કરણ જોહરના નામ સાથે લખ્યું હતું કે કરણ જોહર કોણ છે? એ માણસે બોલિવૂડમાં કેટલી ગંદકી ફેલાવી છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રી શું એના બાપની માલિકીની છે.

જે એને જવાબ આપી રહી છે. ટ્વીટરમાં બોયકોટબોલિવૂડ, કરણ જોહર, આલિયા ભટ્ટ, બોયકોટ કરણજોહર્સ ફિલ્મ, બોયકોટ સ્ટાર કિડ્સ વગેરે હેશટેગ ટ્રેન્ડિંગ બન્યા હતા.ત્યારે એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે સુશાંતસિંહ ના મૃત્યુ નું કનેક્શન ક્યાંક ને ક્યાંક બૉલીવુડ ના ખાસ લોકો સાથે સંકળાયેલુ હોય તેમ લાગી રહ્યું છે.સુશાંત સિંહના પિતાએ સીબીઆઇ તપાસની માંગ કરી છે, તે કહે છે કે મોતના બે કલાક પહેલા જ તેમની વાત થઇ હતી. આત્મહત્યા જેવી કોઇ વાત જ નથી કરી. સુશાંત સિંહના મામાએ પણ ન્યાયિક તપાસની માંગ કરી છે.

સુશાંત સિંહ રાજપૂતે પોતાના બેડરૂમમાં લીલા રંગના કપડાથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો. પોલીસે સુશાંત સિંહના ઘરમાંથી કોઇ સુસાઇટ નોટ મળી નથી. સુશાંત સિંહ રાજપૂતે અડધી રાત્રે અંતિમ ફોન કોલ એક એક્ટરને કર્યો હતો પરંતુ તેને ફોન ઉઠાવ્યો નહતો.મિત્રો અત્યારે સમગ્ર મામલો બૉલીવુડ માફિયા તરફ વળી રહ્યો છે.કંગના ના નિવેદન બાદ આ મામલો વધુ ગરમાયો છે.જોકે હવે શેખર ના નિવેદન બાદ ઘણું બધું જાણવા મળ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top