હાલમાં ધનની સમસ્યા કોને ના હોય દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે એ ભલે ગરીબ હોય કે અમીર.પૈસા મેળવવા માટે લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે.આજે અમે તમને વાસ્તુના કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ,
જો તેને કરવામાં આવે તો તમારા જીવનમાં પણ દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે .હા જે લોકોને જીવનમાં પૈસાની કમીની સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા એવી વ્યક્તિ કે જે પૈસા કમાવવા માંગે છે, તો તે નાના નાળિયેરનો આ ઉપાય કરી શકે છે. આવી સ્થિતિમાં, તમે બધાએ સામાન્ય નાળિયેર તો જોયું જ હશે, પરંતુ આ લઘુ નાળિયેર સામાન્ય નાળિયેર કરતા કદમાં નાનું હોઇ છે.
લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શ્રીયંત્ર, એકમુખી રુદ્રાક્ષ, એકાક્ષી નારિયેર, શંખ વગેરે જેવી વસ્તુઓ ખાસ માનવામાં આવે છે. તેમાં પણ એકાક્ષી નારિયેળનું વિશેષ મહત્વ ધરાવે છે. આ નાળિયેરને લક્ષ્મીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ એકાક્ષી નારિયેળ ઘરમાં રાખીને તેનું પૂજન કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે.
તો આજે જાણી લો એકાક્ષી નારિયેળ વિશે.તેનો ઉપયોગ મુખ્ય રીતે ધનની પ્રાપ્તિ માટે થાય છે. ચાલો અમે તમને કહીએ કે ધનની પ્રાપ્તિ માટે તમે નાળિયેરનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો. આ માટે, કોઈપણ શુભ સમયમાં 11 નાના નાળિયેર લઈને તમારા ઘરના પૂજાસ્થળમાં લક્ષ્મીની પ્રતિમાની સામે મૂકો. હવે આ પછી, મા લક્ષ્મીના ચરણોમાં આ નારિયેળને અર્પણ કરતી વખતે ॐ महालक्ष्म्यै च विद्महे विष्णु पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો બે માળા જાપ કરતા રહો.
કોર્ટકેસમાં વિલંભ થઈ રહ્યો હોય તો મંગળવારના દિવસે વિધિ પૂર્વક એકાક્ષી નારિયેળનું પૂજન કરીને લાલ કપડામાં એકાક્ષી નારિયેળને સાથે રાખવું. આમ કરવાથી કેસમાં જો તમે સાચા હશો તો સફળતા મળશે.ઘરની આસપાસ કે પડોશમાં કોઈ શત્રુ હેરાન કરી રહ્યો હોય તો પીપળાના વૃક્ષની પાસે એકાક્ષી નારિયેળનું પૂજન કરવાથી શત્રુતા નાશ પામે છે.
બુધવારના દિવસે વિધિથી એકાક્ષી નારિયેળનું પૂજન કરીને તેના પર ચંદન, કેસર, નાળાછડી અર્પણ કરીને સ્વયં કપાળે તિલક કરીને ક્યાંય પણ જવાથી કાર્યમાં સફળતા મળે છે.આ પછી, તે 11 નાના નારિયેળને લાલ કાપડમાં લપેટી અને તેને તમારા લોકરમાં અથવા જ્યાં તમે ધ્યાન રાખો છો તે સ્થાન પર મૂકી દો જો તમે ઇચ્છો, તો તમે આ નાળિયેરને તમારા વ્યવસાય કરવાની જગ્યાએ અથવા ગલ્લામાં પણ રાખી શકો છો. તેનો તમને મોટો ધન લાભ થવાનું શરૂ થશે.