અભિનેતા યુસુફ હુસૈનનું નિધન: નિર્દેશક હંસલ મહેતાએ પોસ્ટ શેર કરી જાહેર કર્યું દુઃખ, “આજે હું અનાથ થઈ ગયો”

બોલીવુડ જગતથી એક ખરાબ સામે આવ્યા છે. બોલિવૂડના દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું નિધન થયું ગયું છે. ફિલ્મ નિર્માતા હંસલ મહેતા દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. યુસુફ ખાને પોતાની એક્ટિંગ કારકિર્દીમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનના નિધનના સમાચાર આપ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે, યુસુફ હુસૈનની પુત્રી સફીનાના લગ્ન હંસલ મહેતા સાથે થયા છે. સસરાના અવસાન પર તેમણે શોક વ્યક્ત કર્યો છે.

હંસલ મહેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, “મેં શાહિદના 2 શેડ્યૂલ પૂર્ણ કરી લીધા હતા અને અમે અટવાઈ ગયા હતા. હું મુશ્કેલીમાં હતો. ફિલ્મ નિર્માતા તરીકેની મારી કારકિર્દી સમાપ્ત થવા જઈ રહી હતી. પછી તેમણે આવીને જણાવ્યું કે, મારી પાસે એક ફિક્સ ડિપોઝિટ છે અને જો તમે મુશ્કેલીમાં છો તો તે મારા માટે કોઈ કામની નથી. તેમણે ચેક પર સહી કરી અને શાહિદ પૂરી થઈ ગઈ હતી. યુસુફ હુસૈન એવા હતા. તમે મારા પિતા સમાન હતા. જો જીંદગી હોતી તો તે કદાચ તેમના રૂપમાં હોતી.”

Scroll to Top