ભારત ના દિગગજ રાજ નેતા તથા ભાજપ ના પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની તબિયત અત્યંત નાજુક હતી. દિલ્હી AIIMS માં તેમની સારવાર ચાલી રહી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટલીની હાલત ખુબ જ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ટોચના મંત્રીઓ અને નેતાઓ જેટલીના સ્વાસ્થ્ય હાલચાલ જાણવા અનેકવાર AIIMS જઈ ચુક્યા છે.
વર્તમાનમાં ભલે જેટલી સક્રિય રાજનીતિમાં ના હોય, પણ તેમની ગણતરી મોદી સરકારના સૌથી શક્તિશાળી મંત્રીઓમાં થાય છે.
રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે 2014 માં પહેલીવાર સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીને દિલ્હીની લુટિયંસ રાજનીતિથી માહિતગાર કરનારા જેટલી જ હતાં. તેમને મોદીના ‘ચાણક્ય’ પણ કંઈ એમ જ નથી કહેવામાં આવતા. બંનેના સંબંધોની સફર ઘણી જ લાંબી છે.કહેવામાં આવે છે કે, ગુજરાતના રાજકારથી ‘વનવાસ’ પર મોદીને દિલ્હી મોકલવામાં આવ્યા બાદ જ તેમની અને જેટલી વચ્ચે ઘનિષ્ઠતા વધી હતી.
એક સમયે ગુજરાત ભાજપમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. 1995 થી 2001 સુધી છ વર્ષ મોદી રાજ્યની રાજનીતિથી દૂર જ રહ્યાં. આ દરમિયાન તેઓ દિલ્હી સ્થિત પાર્ટીના હેડક્વાર્ટરમાં જ રહેતા હતાં. અહીં જ તેઓ અટલ બિહારી વાજપેયીના સંપર્કમાં આવ્યા.
એવુ પણ કહેવાય છે કે, મોદીને મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોકલવાના નિર્ણય પાછળ અડવાણીની સાથો સાથ જેટલી પણ હતા.
મોદીને મુખ્યમંત્રી બનાવીને ગુજરાત મોકલવા એ એક મોટો રાજકીય નિર્ણય હતો. કારણ કે પહેલી વાર કોઈ સક્રિય આરએસએસ પ્રચારક સીધા જ રાજકારણના મેદાનમાં ઉતારવામાં આવી રહ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 90ના દાયકામાં દિલ્હીમાં મોદીને ભાજપના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા ત્યારે તેઓ જેટલીના 9 અશોક રોદ સ્થિત બંગલામાં જ રહેતા હતાં.
તે સમયે જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી હતાં. માનવામાં આવે છે કે 2002 માં ગુજરાતમાં ભડકેલા કોમી રમખાણોના કારણે જ્યારે મોદી વિરૂદ્ધ પાર્ટીમાં જ વિરોધ થવા લાગ્યો ત્યારે જેટલી તેમની પડખે મજબુતીથી ઉભા હતાં. જેટલી રાજ્યસભા માટે પહેલીવાર ગુજરાતમાંથી ચૂંટાયા પણ હતાં.
તેવી જ રીતે 2004 માં મધ્ય પ્રદેશમાં ઉમા ભારતીના સ્થાને શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવનો નિર્ણય પણ જેટલીનો જ હતો. એક વરિષ્ઠ પત્રકારનું માનવામાં આવે તો જેટલીનું દિલ્હીમાં શાનદાર નેટવર્ક હતું. તેમણે મોદીની એવી રીતે કાળજી રાખી હતી જેવી તેઓ પોતાના નજીકના વ્યક્તિઓની રાખતા હતાં.
જોકે, તે સમયે મોદીને એટલુ મહત્વ બીજા કોઈએ નહોતુ આપ્યું જેટલુ જેટલીએ આપ્યું હતું. વર્ષો બાદ મોદીએ પણ જેટલીનું આ ઋણ ચુકવી દીધું હતું. જોકે જેટલી અને મોદીએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. બંનેના વ્યક્તિત્વમાં મોટુ પરિવર્તન આવ્યું.
મોદી એક કરિશ્માઈ નેતા તરીકે સામે આવ્યા, જેમની પાસે ભાષણની ગજબની તાકાત હતી. તો જેટલીએ પડદા પાછળ રહીને અસરકારક ભૂમિકા અદા કરનારા નેતા તરીકે પોતાની ઓળખ બનાવી.
1999 માં મોદી અને જેટલીએ પોતાના સંબંધોને લઈને રાજીવ શુક્લાના ટીવી શો પર ખુલીને વાત કરી હતી. મોદીએ જેટલી સાથેના સંબંધોને જેપી આંદોલન વખતેના ગણાવ્યા હતાં.
અને તેમને ‘રાજકારણમાં દુર્લભ કોમ્બિનેશન’ ગણાવ્યું હતું. તો શુક્લાએ જેટલીનો ઈન્ટરવ્યુ લીધો તો તેમણે પણ મોદીને એક ‘અનુસાશિત અને ક્રિએટિવ રાજનેતા’ તથા ‘મુશ્કેલ ટાસ્કમાસ્ટર’ ગણાવ્યા હતાં. અરુણજેટલી ની આ વશમી વિદાય ક્યારેય નહીં વિસરાય.