એકતરફી પ્રેમનો ખતરનાક અંજામ: પ્રપોઝ કરતાં છોકરીએ લાફો મારતા આશિકે પથ્થર મારી કરી નાખી હત્યા

એકતરફી પ્રેમમાં પાગલ આશિક દ્વારા હત્યા કરવામાં આવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક તરફી પ્રેમમાં આશિક દ્વારા યુવતીની હત્યા કરી નાખવામાં આવી છે. જેના આ કેસે ચકચાર મચાવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સગીર દલિત વિદ્યાર્થિની ટ્યુશન જઈ રહી હતી, તે દરમિયાન એકતરફી પ્રેમમાં સગીર દ્વારા તેને પ્રપોઝ કરવામાં આવ્યું હતું.

તેમ છતાં સગીરા દ્વારા તેના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો અને તેને લાફો મારી દેવામાં આવ્યો હતો. જેના કારણે ગુસ્સે થયેલા સગીર દ્વારા પોતાના બે સાથીઓ સાથે મળીને સગીરાની હત્યા કરી તેની લાશને ખીણમાં ફેંકી દેવામાં આવી હતી.

જ્યારે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં આવેલ કિરરા ગામની એક દલિત વિદ્યાર્થિની 30 સપ્ટેમ્બરના રોજ ઘરેથી ટ્યુશન માટે જઈ રહી હતી. આ કારણોસર સગીરા ઘરેથી થોડા અંતરે નેશનલ હાઈવે પર ગઈ હતી. ત્યાર બાદ રસ્તાના કિનારે ખીણમાં તેની લાશ મળી આવી હતી.

બુલંદશહેરના એસએસપી સંતોષ કુમાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે દરમિયાન ગામના જ એક સગીર દ્વારા વિદ્યાર્થિનીને પ્રેમનો એકરાર કરવામ આવ્યો હતો. તેમ છતાં સગીરા દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા લાફો મારવામાં આવ્યો હતો. જેના કારણે રોષે ભરાયેલાં સગીર દ્વારા પોતાના બે સાથીઓ સાથે મળીને સગીરાની હત્યા કરી નાખવામાં આવી હતી.

આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે, હત્યા કર્યાં બાદ પણ સુનીલ પવન અને સગીર ત્રણેય આરોપીઓ ગ્રામજનોની સાથે હાજર રહ્યા હતા. સાક્ષીઓના મુજબ સ્વાટ ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા પુરાવા તરીકે આરોપીઓ પાસેથી પથ્થર અને લાલ કલરનો શર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા પથ્થર મારીને સગીરાની હત્યા કરવામાં આવી હતી.

એસએસપી સંતોષ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, સગીરા અને આરોપી આશિક એકબીજાને સારી રીતે જાણતા હતા. પરંતુ તે થોડા દિવસ પહેલાં જ તે દિલ્હી ચાલ્યો ગયો હતો. જ્યારે તે દિલ્હીથી પરત ફર્યો હતો ત્યારે સગીરાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી નાખ્યું હતું. જ્યારે તેને જ લઈને સગીર દ્વારા છોકરી સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો, પરંતુ તેને છોકરીએ લાફો માર્યો હતો.

Scroll to Top