BollywoodEntertainment

લગ્ન પછી પાંથીમાં સિંદુર….એકદમ સિમ્પલ લુક, વાયુવેગે વાયરલ થયો ફોટો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની દરેક વિગતો ધીમે ધીમે સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. લગ્ન બાદ રણબીર તેની નવી દુલ્હનને પાપારાઝીની સામે લાવ્યો હતો. અભિનેતાએ પણ બધાની સામે આલિયાને ખોળામાં ઊંચકીને લીધી હતી. તે જ સમયે, હવે આલિયા અને રણબીરની વધુ એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં અભિનેત્રી માંગમાં સિંદૂર લગાવતી જોવા મળી રહી છે.

સિમ્પલ લુકમાં જોવા મળી

આ ફોટોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે. આલિયાએ સિમ્પલ બ્લુ સૂટ પહેર્યો છે, જ્યારે રણબીર લાલ કુર્તો પહેરેલો જોવા મળે છે. તસવીરમાં બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

સિંદૂર જોવા મળ્યું હતું

આ તસવીરમાં આલિયા નવી દુલ્હનની જેમ માંગમાં સિંદૂર લગાવતી જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ તેના વાળ બાંધ્યા છે અને મોટી બુટ્ટી પહેરી છે. બંને કેમેરામાં હસતા અને પોઝ આપતા જોવા મળ્યા હતા.

લગ્ન બાદ આલિયા અને રણબીરે પાલીહિલ સ્થિત વાસ્તુ હાઉસમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. ખાસ વાત એ છે કે આ રિસેપ્શનમાં બોલિવૂડના અમુક સિલેક્ટેડ સ્ટાર્સ જ પહોંચ્યા હતા. જેમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, ગૌરી ખાન, અયાન મુખર્જી અને કરણ જોહર સામેલ છે.

14 એપ્રિલે લગ્ન કર્યા હતા

ઋષિ કપૂરને આલિયા અને રણબીરની કેમેસ્ટ્રી ખૂબ પસંદ હતી. તે ઈચ્છતો હતો કે રણબીર અને આલિયા વહેલામાં વહેલી તકે લગ્ન કરી લે. પરંતુ તેમના જીવનમાં આવું ન બની શક્યું. ઋષિ કપૂરનું વર્ષ 2020માં નિધન થયું હતું. આખરે બે વર્ષ પછી તેની ઈચ્છા પૂરી થઈ. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા. કપલના લગ્નમાં કપૂર પરિવાર અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker