અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ થયું: 5,000 કિમી દૂર સુધી પ્રહાર કરવા માટે છે સક્ષમ.

જમીનથી જમીન પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5 ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળતાપૂર્વક લોન્ચ આવી હતી. ભારત સરકારે આ અંગે માહિતી આપી હતી. અગ્નિ-5 ત્રણ તબક્કાની મિસાઇલ છે. આ મિસાઇલ ખૂબ જ ચોકસાઈ સાથે 5,000 કિલોમીટર સુધીના લક્ષ્યને ફટકારવામાં સક્ષમ છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતે જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું”. અગ્નિ-5 મિસાઇલ કુબ જ ઉચ્ચ કક્ષાની ચોકસાઈ સાથે 5,000 કિલોમીટર સુધીના લક્ષ્યોને નિશાન બનાવવા માટે સક્ષમ છે. જેનું બુધવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ-5નું સફળ પરીક્ષણ વિશ્વસનીય લઘુતમ પ્રતિકાર શક્તિ પ્રાપ્ત કરવાની ભારતની નીતિને અનુરૂપ છે.

નોંધપાત્ર બાબત એ છે કે, જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 2012માં કરવામાં આવ્યું હતું. ભારતે અગ્નિ-1,2,3 મિસાઇલ ને કાર્યરત રીતે તૈનાત કરી દીધી છે. માનવામાં આવે છે કે આ ત્રણેય મિસાઇલો પાકિસ્તાન દ્વારા ઉભા કરાયેલા જોખમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જ્યારે અગ્નિ-5 ખાસ કરીને ચીન સામેના પડકારો માટે બનાવવામાં આવી છે. અગ્નિ-5 એ ચીનના કોઈ પણ ભાગ સુધી પહોંચવા સક્ષમ છે.

Scroll to Top