અમદાવાદઃ શહેરવાસીઓની માંગ પ્રમાણે મેટ્રોના સમયમાં ફેરફાર, જાણો નવો સમય

છેલ્લા કેટલાક સમયથી મેટ્રોના સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. મેટ્રોના સમયમાં આ ફેરફાર નવા સમય મુજબ 30 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. હાલમાં મેટ્રો ટ્રેન સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે. આ સિવાય મેટ્રો ટ્રેનનો ફ્રીક્વન્સી રેટ પણ વધારીને 15 મિનિટ કરવામાં આવ્યો છે. તે પણ આગામી 30 જાન્યુઆરીથી દર 15 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ થશે.

અમદાવાદ મેટ્રોમાં દૈનિક મુસાફરોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો ગયો.

નોંધનીય છે કે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે ફેઝ-1 મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પછી અમદાવાદ મેટ્રોમાં રોજિંદા મુસાફરોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ મેટ્રો તેમના માટે વરદાન સાબિત થઈ.

અગાઉ મેટ્રોનો સમય સવારે 9 થી રાત્રીના 8 વાગ્યા સુધીનો હતો તેથી સવારે વહેલા જતા લોકોને મેટ્રોનો લાભ મળી શકતો ન હતો. અમદાવાદવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Scroll to Top