ગઈ કાલે જ્યારે પેટાચૂંટણી નું રિઝલ્ટ આવ્યું રયારે ભાજપનાં વળતાં પાણી જોવા મળ્યાં હતાં.જોકે બેવ પાર્ટી ની હાથે ત્રણ ત્રણ બેઠો હાથમાં આવી છે પરંતુ અગત્ય ની અને ખુબજ ચર્ચિત બેઠકો પર કોંગ્રેસ નું રાજ થતા ભલભલા આશ્ચર્ય ચકિત થઈ ગયા આછે.આવું પરિણામ આવવાનું કારણ જાણી ને તમે પણ ચોંકી જશો.એવો જાણીએ વિગતે.અલ્પેશ ઠાકોરની હારના કારણો પર નજર કરીએ તો રાધનપુર બેઠકો ઈતિહાસ રહ્યો છે કે રાધનપુરમાં આયાતી ઉમેદવારોને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે.ઇતિહાસ સાક્ષી છે કે રાધનપુરમાં આયાતી ઉમેદવારોને જાકારો મળ્યો છે.
આ ઉપરાંત અલ્પેશ ઠાકોર સામે એન્ટી ઈન્કમન્સી, ઠાકોર વોટ બેન્કની સામે અન્ય સમાજના નિર્ણાયક મતો અને કોંગ્રેસને દલિત મુસ્લિમ સમુદાયનું સમર્થન મળ્યું.આ ઉપરાંત કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યે રઘુ દેસાઈના સમર્થનમાં જંજાવાતી પ્રચાર કર્યો.તેમજ આ બેઠક પર ચૌધરી વોટબેન્કનું પણ વિભાજન થયુ.અલ્પેશને ઠાકોર સેનાની નારાજગી પણ નડી ગઈ અને અન્ય જ્ઞાતિઓએ અલ્પેશના જાતિવાદના રાજકારણને જાકારો આપ્યો..અલ્પેશની છાપ દલબદલુ અને તકવાદી નેતા તરીકે ઉપસી કારણ કે જે સરકારને વિરોધ કરીને નેતા બન્યા તેજ પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા બાદ રાધનપુર મતવિસ્તાર પર ધ્યાન ન આપ્યું.જેવા અનેક કારણો રહ્યાં છે.પરંતુ મુખ્ય કારણ બીજૂજ રહ્યું છે.આવો જાણીએ.
રાધનપુરમાં આયાતી ઉમેદવારને હંમેશા મળ્યો છે જાકારો.અલ્પેશ ઠાકોર સામે એન્ટી ઈન્કમબન્સી
ઠાકોર વોટબેન્કની સામે અન્ય સમાજના નિર્ણાયક મતો કાંગ્રેસને દલિત મુસ્લમ સમુદાયનું સમર્થન.રઘુ દેસાઈ માટે કાંગ્રેસના ઠાકોર ધારાસભ્યોનો જંજાવાતી પ્રચાર ચૌધરી વોટબેન્કનું વિભાજન થયુ.અલ્પેશ સામે ઠાકોર સેનાની નારાજગીથી રઘુ દેસાઈને ફાયદો.અન્ય જ્ઞાતિઓએ અલ્પેશના જાતિવાદના ચહેરાના બદલે રઘુ દેસાઈને સમર્થન આપ્યું.અલ્પેશની દલબદલુ અને તકવાદી નેતા તરીકેની છાપ.જે સરકારનો વિરોધ કરી નેતા બન્યા તે જ પક્ષમાંથી ચૂંટણી લડ્યા.કાંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા બાદ મત વિસ્તાર પર ધ્યાન ન આપ્યું આ હતા અલ્પેશ ઠાકોરની હરના મુખ્ય કારણો હોવી જાણીએ ધવલસિંહ ની હરના કારણો.
વાત કારીએ બાયડ ની તો બાયડ માં પણ કંઈક અંશે કારણો સરખાં જ રહ્યાં છે. બાયડમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની હાર થઇ છે. બાયડમાં ભાજપની હારના કારણો જોઇએ તો મતદારોએ પક્ષ પલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલાને જાકારો આપ્યો છે. લોકોમાં ઉમેદવાર સામે વ્યક્તિગત વિરોધ પણ જોવા મળ્યો. તો પક્ષાંતરનો મુદ્દો અને સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે કરેલો પ્રચાર પણ ભાજપને નડ્યો. બીજી તરફ ધવલસિંહ ઝાલાનો ભાજપ સંગઠન સાથે તાલમેલનો અભાવ પણ તેને નડ્યો. તો મતદારો સાથે ધવલસિંહના સીધા સંપર્કના અભાવે પણ ભાજપને નુકસાન પહોંચાડ્યું.
પક્ષપલટુ ઉમેદવારને મતદારોએ જાકારો આપ્યો.લોકોમાં.ઉમેદવાર સામે વ્યક્તિગત વિરોધ. પક્ષાંતર અને રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે પ્રચાર. ભાજપ સંગઠન સાથે તાલમેલનો અભાવ. મતદારો સાથે સીધા સંપર્કનો અભાવ ઠાકોર તેમજ અન્ય સમાજના નિર્ણાયક મતો ન મળ્યા અને માટે જ એક બાજુ જ્યાં ભાજપ મહારાષ્ટ્ર અને હરિયાણા જીતની ખુશી માનવી રહ્યું હતું ત્યારે આ બાજુ ગુજરાતની સૌથી ચર્ચિત બેઠકો ભાજપના હાથમાંથી કોંગ્રેસ આસની થઈ લાઇ ગયું અંર ભાજપ બસ જોતું જ રહી ગયું.