Politics

અલ્પેશ ઠાકોર એ બળદેવજી ઠાકોર પર પ્રહાર કરતાં કહ્યું કે, તે મારા વેવાઇ નથી એ ફક્ત ઢોંગી વેવાઈ બનવાનું ઢોંગ કરે છે

ગઈ કાલે બળદેવજી ઠાકોરે એ એક નિવેદન આપ્યું હતું અને આ મુજબ તેઓ અલ્પેશ ઠાકોરને પોતાનો વેવાઈ ગણાવતાં હતાં. અને તેઓ એ ઘણું ખરું એવું અલ્પેશ વિરુદ્ધ કહ્યું હતું. રાજ્યમાં જ્યારે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના રાધનપુર બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર એ પોતાના પર કરાયેલા પ્રહાર નો ઉત્તર આપ્યો હતો.

અલ્પેશ ઠાકોરે બળદેવજી ઠાકોર પર પ્રહાર કરતાં કહ્યું કે બળદેવજી ઠાકોર મારો વેવાઇ નથી, તેઓ ઢોંગી વેવાઇ બનીને ફરે છે. બળદેવજી ઠાકોર કોઈ પણ રીતે મારો વેવાઈ નથી. બળદેવજી પરાણે વેવાઈ બનીને ફરે છે.

બળદેવજીએ અલ્પેશને વેવાઈ ગણાવી જનતાને ચેતવી હતી. અલ્પેશ ઠાકોરના બળદેવજી ઠાકોર ના નિવેદન થઈ માહોલ વધુ ગરમાયો છે. રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે બળદેવજી ઠાકોરને આડેહાથ લીધા હતા ને આડેહાથ લેતાં કહ્યું છે કે બળદેવજી ઠાકોર મારો વેવાઇ નથી, એ ઢોંગી છે અને એટલા માટેજ વેવાઇ બનવના ઢોંગ કરે છે. આ સાથે અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ પ્રકારના લોકો અસામાજીક તત્વો રૂપ છે, આ બાહુંરીપીઓ જેવો છે. બળદેવજી ઠાકોર મને વેવાઇ ગણાવીને લોકોને મારા વિરુદ્ધ ભડકાવે છે.

અલ્પેશ ઠાકોર નું કહેવું છે કે આ ઢોંગીબાબા મારી જીત નથી જોઈ શકતા માટે જ તેઓ આવો કરે છે. બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને પોતાના વેવાઇ ગણાવ્યાં હતા. બળદેવજી ઠાકોરે અલ્પેશને વેવાઇ ગણાવીને લોકોને ચેતવ્યાં હતા. બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર મારા વેવાઇ છે, તેમને હું સારી રીતે જાણું છું.

રાધનપુરના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે મિડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ આગળ વધારવો જોઇએ. બળદેવજી મારા કોઇ વેવાઇ નથી, આ બધા તોડબાજ લોકો છે.

વેવાઇ બનવાનું ઢોંગ કરે છે. અને ઢોંગી વેવાઈ બનીને ફરે છે, આવા લોકો અસામાજિક તત્વો છે. હાર ભાળી ગયા છે તેથી આવી વાતો કરે છે. અલ્પેશ ઠાકોર નું કહેવું છે કે મારી જીત સ્પષ્ટ છે અને આ અસામાજિકતત્વો મારી જીત જોઈ શકતા નથી માટે આવું વિચિત્ર અને ઢોંગી રૂપ ધારણ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker