પાન વગરની આ જાદુઇ વેલથી ગઠીયા અને સાંધાના દુખાવાથી મળશે છુટકારો, જીવો ત્યાં સુધી દવા લેવાની જરૂર નહીં પડે

અમરવેલ એક લીલા-પીળા રંગની પાંદડા વગર ની વેલ છે. તમે તેને ઘણાં ઝાડમાં લટકતું જોયું હશે. તે ઘણી વખત બાવળ, પ્લમ વગેરે જેવા ઝાડ પર દેખાય છે. અમરવેલ ખેતરોમાં પણ જોવા મળે છે. તેની ડાળી લાંબી અને પાતળી હોય છે. તેની ડાળીઓ ખૂબ મજબૂત હોય છે.

તેની વેલ અને બીજ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે . અમરવેલ નો ઉપયોગ કરીને અનેક રોગોનો ઈલાજ પણ કરી શકાય છે. અમરવેલ વીર્યમાં વધારો કરે છે, પાચનમાં સુધારો કરે છે અને આંખોના રોગોમાં ફાયદાકારક છે. અમરવેલ હૃદયને સ્વસ્થ રાખે છે. તે પિત્ત, કફના રોગ અને નબળા પાચનના કારણે થતાં રોગોને પણ મટાડે છે.

આ સાથે અમરવેલ નાઅન્ય ફાયદાઓ છે ચાલો આપણે તેના ફાયદા વિશે જાણીએ.

અમરવેલ મા ફ્લેવોનોઇડ એસ્ટ્રોજન જેવી અસરો હોય છે. તેમાં માનવ શુક્રાણુઓને સુરક્ષા પૂરી પાડવા માટેની ક્ષમતા છે. તેની એન્ડ્રોજન પુરુષ પ્રજનન અંગો માટે સુરક્ષા પૂરી પાડે છે અને અંડકોષ નો વિકાસ અને ટેસ્ટોસ્ટેરોનની રચનાને ઝડપી બનાવી શકે છે.

અમરવેલ માં અમુક પ્રકારના કેન્સર કોષો ને રોકવાની ક્ષમતા છે. તેનાથી કેન્સર થવાની સંભાવના ઓછી થાય છે. તેથી અમરવેલ નું નિયમિત સેવન કરવું ફાયદાકારક બની શકે છે. અમરવેલના બીજથી હાડકાં મજબૂત બને છે. તેના સેવનથી કેલ્શિયમ વધારવામાં મદદ મળી શકે છે.

અમરવેલની ડાળીનું દૂધ ચહેરા ઉપર લગાવવાથી નિખાર આવે છે. અમરવેલના ચૂર્ણને સૂઠ અને ઘી મેળવી લેપ કરવાથી જૂનો ઘાવ ભરાઈ જાય છે કે તેના બીજ પીસીને જૂના ઘા ઉપર લેપ કરવાથી ઘાવ સારો થઈ જાય છે.

અમરવેલનું સેવન કરવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળી શકે છે. તેના સેવનથી લોહીમાં શર્કરાના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ સિવાય તે શરીરમાં ચરબીનું પ્રમાણ સંતુલિત કરવામાં અને ગ્લાયકોજન નું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. આ રીતે તે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

સ્કીન પર ખંજવાળ આવતી હોય તો અમરવેલ પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ ઓછી થઈ જાય છે. પેટ ફૂલવા તથા અફારો થાય ત્યારે તેના બીજ પાણીમાં ઉકાળીને પીસી લો. તેના ઉકાળા નો લેપ પેટ ઉપર લગાવાવથી આફરો અને પેટની પીડા દૂર થાય છે.

બવાસીર થાય ત્યારે ૨૦ ગ્રામ અમરવેલનો રસ લઈને તેને ૫ ગ્રામ જીરાનો પાઉડર અને ૪ ગ્રામ તજના પાઉડરમાં સારી રીતે ભેળવીને ૧ ગ્લાસ પાણીમાં ભેળવીને સતત સવાર સાંજ ત્રણ દિવસ પીવાથી ખૂની અને સાદી બવાસીર બંનેમાં ખુબ આરામ મળે છે.

અમરવેલના બીજનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી થવાને લીધે રોગો સામે લડવાની શક્તિ ઓછી થાય છે અને આપણે વિવિધ રોગોનો શિકાર બની શકીએ છીએ. અમરાવેલ માં એન્ટીઑકિસડન્ટ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

અમરવેલને ઘસીને પેસ્ટ બનાવી લો. ગઠીયા, સાંધાના દુખાવાવાળા અંગોની જગ્યાએ આ લેપ લગાવીને પાટો બાંધી દો. અમરવેલની પેસ્ટ તરત ગઠીયા, સાંધાના દુખાવાનો સોજો ઓછો કરે છે.

આ વેલને પાણીમાં ઉકાળીને તેને સોજાની જગ્યાએ શેક કરો. થોડા જ દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી સોજો ઓછો થઈ જાય છે.અમરવેલના પાંદડાના રસમાં સાદુ મીઠુ મેળવી દાંત ઉપર ઘસવાથી દાંત ચમકી જાય છે.

આ વેલનું સેવન આંખો માટે પણ ફાયદાકારક છે. તેનો ઉપયોગ લેન્સની અસ્પષ્ટતા ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય મોતિયાની સારવારમાં પણ અમરવેલ ફાયદાકારક છે. અમરવેલની કોઈ આડઅસર નથી. જો આંખના નંબર ઓછા કરવા માંગતા હોવ અથવા તમારી આંખોનું તેજ વધારવા માંગતા હોવ, તો આજથી અમરવેલ નું સેવન કરવાનું શરૂ કરો.

નોંધ: ઉપર જણાવેલ ઉપાયો માહિતી માટે છે, કોઈ પણ પ્રકાર ની ઉપાય કરતાં પહેલા જાણકાર ની સલાહ લેવી જરૂરી છે.

Scroll to Top