અમદાવાદમાં હવે ચાર રસ્તાથી ડાબી બાજૂ જઈને ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનચાલકોને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં નિર્ણય લેવાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બે અઠવાડિયા પહેલા અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ચાર રસ્તા પરના ડાબી બાજુના વળાંક પર સીધા અથવા તો જમણી બાજુ જતા વાહનો હવે ઉભા રહી શકશે નહીં. આ નિર્ણય એક વાત સ્પષ્ટ છે કે તેનાથી ટ્રાફિક જામ ઓછો થવાની સાથે એક્સિડન્ટ થવાની સંભાવના પણ ઓછી થશે.
જ્યારે અત્યાર સુધી ડાબી બાજુ જનાર ટ્રાફિકને અવરોધ બનતા વાહનોને સીધા અથવા ડાબી બાજુ જ જવાની પોલીસ દ્વારા ફરજ પડાતી નહોતી. તેમ છતાં આજે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, ચાર રસ્તાથી ડાબી બાજુ જનાર ટ્રાફિકને અવરોધ બનીને રહેનાર વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય શહેરના રસ્તા પર ભયજનક રીતે સ્પીડમાં જનાર વાહન ચાલકોને વ્હીકલ એક્ટની કલમ 279 હેઠળ ધરપકડ કરાશે.
નોંધનીય છે કે, જે વાહન ચાલક પોતાનું વાહન બીજાનું મોત નીપજાવે અથવા કોઈને ઈજા પહોંચાડે તે રીતે ચલાવે છે તેના મોટર વ્હીકલને એક્ટની કલમ 279 મુજબ આરોપી ગણાશે. જે વ્યક્તિ ભયજનક રીતે વાહન ચલાવવા કસૂરવાર નીકળે તેને 6 મહિના સુધીની જેલ અથવા તો દંડ અને જેલ બંને ફટકારવામાં આવી શકે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સંયુક્ત પોલીસ કમિશનર મયંક ચાવડાના જણાવ્યા મુજબ, ચાર રસ્તેથી ડાબી બાજુ જતા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા વાહનો હજી પણ ઉભા રહી જતા જોવા મળે છે. જેના કારણે આજથી આવા વાહન ચાલકોને 500 નો દંડ ફટકારવાનું શરુ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ભયજનક રીતે વાહન ચલાવનાર ચાલકોને પકડવા માટે અને ડાબી બાજુ જનાર ટ્રાફિકને અડચણરૂપ બનવા વાહનોને દંડવા માટે તેઓ દરેક ચાર રસ્તા પર વધારાના ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવશે.