અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી બસ પલટી ખાતા 35 ઇજાગ્રસ્ત, 4 ની હાલત વધારે ગંભીર

આજ સવારના બગોદરા ધંધુકા રોડ પર ખડોલના પાટીયા પાસે યાત્રાળુઓને લઈને જઈ રહેલી ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ગંભીર અકસ્માત 56 પૈકી 35 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી હતી.

જેમાં 4 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્તો થયેલા લોકોને ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુર સહિતની 108 દ્વારા રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ધંધુકા બગોદરા રોડ પર વહેલી સવારના ટ્રાવેલ્સ બસ પલટી ખાઇ ગઇ હોવાની જાણકારી સામે આવી હતી. આ અકસ્માતની ઘટનામાં 35 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 4 ઇજાગ્રસ્તોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

જ્યારે આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી તે દરમિયાન બસનો અકસ્માત થયો હતો. ટ્રાવેલ્સ ચાલકને ઉજાગરાના કારણે ઝોકું આવી જતા સ્ટેરીંગ પરનો કાબુ તેને ગુમાવી દીધો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ ચાલક કૂદકો મારી નાસી છુટ્યો હતો.

Scroll to Top