અમિત ચાવડા વિશે તો આપણે સૌ કોઈ જાણતાં જ હશો,અમિત ચાવડા કોંગ્રેસ પાર્ટી ના દિગ્ગજ નેતા તરીકે ઓળખવામાં આવે છે.અમિત ચાવડા એક એવા નેતા છે જેમની જગ્યા કૉંગ્રેસમાં લઈ શકે તેમ નથી.અમિત ચાવડા હાલ પ્રદેશ પ્રમુખ છે.અને તે અનેક સારા એવા કામ કરી રહ્યા છે.આ ઉપરાંત પહેલા તે આંકલાવ વિધાનસભા માંથી ચૂંટણી લડતાં હતા.
અને તેમને આ બેઠક પર દરેક વખત વિજય પ્રાપ્ત થયો છે.આજ સુધી આ બેઠક પર તે હાર્યા નથી.પરંતુ અમિત ચાવડા એ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે.અને કહ્યું છે કે વિઘટનકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સરદાર અંગે ટિપ્પણી કરે તે યોગ્ય નથી.આ નિવેદન આપ્યું છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ.અને આ મામલે વિજય રૂપાણી એ કોંગ્રેસના વળા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ને ટ્વીટ કરી ને પ્રહાર કર્યો હતો.
અને પ્રહાર કરતા જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર દેશ મહાન સરદાર પટેલને તેમની જયંતિ પર નમન કરી રહ્યો છે પરંતુ કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સરદાર પટેલ ને શ્રદ્ધાંજલિ પણ ન આપી આમ કહી તેમને કોંગ્રેસ ના નેતા પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પછી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા ટ્વીટ બાબતે અમિત ચાવડાએ કહ્યુ કે ભાજપના નેતાઓ ટુંકી માનસિકતામાં માનનારા લોકો છે. સરદાર 26 વર્ષ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે.આમ કહી ભાજપ સરકાર પર પ્રહાર કર્યો હતો.
આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ એ બીજી પણ વાત કરતા કહ્યું હતું કે સરદાર અમારા પરિવારના મોભી હતા.આજે પણ કોગ્રેસનો કાર્યકર સરદારના વિચાર અને પથ પર ચાલી રહ્યો છે.સરદાર પટેલે જ આરએસએસ જેવી સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. આજે તેમની જન્મ જયંતી છે.ત્યારે તેમના વિચારોને લઇને આગળ ચાલીએ.આમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું હતું અને સીએમ વિજય રૂપાણી એ કરેલા ટ્વીટ નો જવાબ આપ્યો હતો.