અમદાવાદની દર્દનાક ઘટના: એવું તો શું થયું કે, દીકરાએ વૃદ્ધ પિતાને લાફો ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદથી દર્દનાક ઘટના સામે આવી રહી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારથી ઘટના સામે આવી છે. જેમાં સંતાન દ્વારા પિતાને રોવાનો વારો આવ્યો છે. કેમકે પિતાને સામાન્ય બાબતમાં દીકરાએ પિતાને જોરદાર લાફો ઝીંકી દેવામાં આવ્યો છે જેના કારણે આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે. રસોડામાં દૂધનાં મેળવણ બાબતે દીકરાએ પિતા સાથે ઝઘડો કરી લીધો હતો. ત્યારે પિતાએ દીકરાને સભ્યતાથી વાત કરવાનું કહ્યું તો વાત વધુ બગડી ગઈ હતી.

આનંદનગરના સચીન ટાવરમાં રહેનાર 60 વર્ષીય પ્રતાપસિંહ ઝાલાએ મોટા દીકરા મહિપાલ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પ્રતાપસિંહ પત્ની તેમજ મોટા દીકરા મહિપાલસિંહ અને નાના દીકરા પ્રતિપાલસિંહ સાથે સંયુક્ત કુંટુંબમાં રહે છે. ગઈ કાલે પ્રતાપસિંહ તેમના ઘરે હાજર હતા ત્યારે તે રસોડામાં દૂધનું મેળવણ કરવા માટે નવ વાગ્યાના સમયની આજુબાજુ ગયા હતા.

જ્યારે આ દરમિયાન તેમનો દીકરો મહિપાલસિંહ રસોડામાં જ હાજર હતો. પ્રતિપાલસિંહ દૂધનું મેળવણ કરી રહ્યા હતા ત્યારે મહિપાલસિંહ એકદમ ગુસ્સે થઈ ગયો હતો. પિતાને જણાવ્યું કે, તારે ગંદા હાથથી મેળવણ કરવું નહીં. તેમ કહેતા પિતાએ દીકરાને સભ્યતાથી વાત કરવાનું કહ્યું તો દીકરો વધારે ગુસ્સે થઇ ગયો હતો. રસોડામાં પડેલ ટેબલ ફેન લઈને તેમને મારવા જતા પિતા ત્યાંથી ભાગી નીકળી ગયા હતા.

તેમ છતાં આ દરમિયાન ડાઈનિંગ હોલમાં દીકરાએ પિતા પાસે આવીને જોરથી લાફો મારી દીધો હતો. જેના કારણે તેમનાં ચશ્મા પણ તૂટી ગયા હતાં. દીકરો આટલાથી પણ અટકાયો નહોતો. પિતાને જણાવ્યું કે, તને તો હું આજે મારી નાખીશ આમ કહીને ધમકી આપવા લાગ્યો હતો. આ દરમિયાનમાં પ્રતાપસિંહની પત્ની અને નાનો દીકરો તે સમયે આવી ગયા હતા. પિતાએ આ અંગે પોલીસને જણાવ્યા બાદ દીકરા મહિપાલસિંહ વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ ચાલુ કરી દીધી છે.

Scroll to Top