અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા દિલ્હી મેટ્રો સામે 4 વર્ષ જૂની લડાઈ જીતી લેવામાં આવી છે. આ લડાઈ આર્બિટ્રેશન એવોર્ડથી ભંડોળના નિયંત્રણને લઈને રહેલી હતી, જે અંગે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેને ધિરાણકર્તાઓના લેણાં ચૂકવવા માટે આની જરૂરિયાત છે.
બે ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની પેનલ દ્વારા ગુરુવારના 2017 ના આર્બિટ્રેશન એવોર્ડને લઈને અનિલ અંબાણીની તરફેણમાં પક્ષ રાખવામાં આવ્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વાર્ષિક અહેવાલ અનુસાર આર્બિટ્રેશન ટ્રિબ્યુનલનો પુરસ્કાર, વ્યાજ સહિત, 46.6 અબજ (63.2 કરોડ ડોલર) થી વધુનો રહેલો છે.
જયારે આ ચુકાદો અંબાણી માટે એક મહત્વની જીત રહેલી છે કેમકે તેમની ટેલિકોમ કંપનીઓ દેવાળિયુ થઈ ગયું છે અને તેઓ દેશના સૌથી મોટા ધિરાણકર્તા દ્વારા દાખલ કરાયેલ વ્યક્તિગત દેવાળિયાનો કેસ પણ લડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટને 46.6 અબજ રૂપિયાનું નુકસાન ચૂકવવા માટે જવાબદાર રહેલું છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એકમ દ્વારા 2008 માં દિલ્હી મેટ્રોની સાથે દેશનો પ્રથમ ખાનગી શહેર રેલ પ્રોજેક્ટ 2038 સુધી ચલાવવા માટે કરાર કરવામાં આવ્યો હતો. 2012 માં ફી અને કામગીરીના વિવાદને લીધે અંબાણીની કંપનીએ રાજધાની એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટનું સંચાલન બંધ કરી નાખવામાં આવ્યું હતું અને દિલ્હી મેટ્રો સામે કરારના ભંગનો આરોપ લગાવીને આર્બિટ્રેશન કેસ શરૂ કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ ટર્મિનેશન ફીની પણ માંગ કરી હતી.
કોર્ટના આદેશ બાદ રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 5%નો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના વકીલોએ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, રિલાયન્સ ધિરાણકર્તાઓને ચૂકવવા માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા બેન્કોને કંપનીના ખાતાઓને એનપીએ તરીકે ચિહ્નિત કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ કેસમાં અંતિમ નિર્ણય બાદ ધિરાણકર્તાઓ પર કોર્ટના પ્રતિબંધો પણ હટી ગયા છે.