સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે અને તેમને રાજ્યમાં વહેલી તકે મંદિરો ખોલવા કહ્યું છે. અન્ના હજારેએ જણાવ્યું છે કે, જો રાજ્ય સરકાર દ્વારા મંદિરો ખોલવામાં આવશે નહીં તો તે આંદોલન પર ઉતરશે. વાસ્તવમાં, અહેમદનગરના ‘મંદિર બચાવો કૃતિ સમિતિ’ ના સભ્યોએ અન્ના હજારેથી મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમની સામે મંદિર ખોલવાની વાત કહી હતી.
આ સભ્યોને મળ્યા બાદ અન્ના હજારેએ નિવેદન આપ્યું અને જણાવ્યું છે કે ‘આખરે સરકારને મંદિર શરૂ કરવામાં વાંધો શું છે? દારૂની દુકાનો ચાલુ રહી શકે છે, તો પછી મંદિરો કેમ નહીં? તેની સાથે અન્ના હજારેએ એક ચેતવણી પણ આપી દીધી હતી અને જણાવ્યું હતું કે, જો 10 દિવસની અંદર મંદિરો ખોલવામાં આવશે નહીં તો તે તેઓ આંદોલન પર ઉતરશે.
અન્ના હજારેએ જણાવ્યું છે કે, સરકારને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે તેમને જણાવ્યું છે કે, ઉદ્ધવ ઠાકરની નેતૃત્વવાળી રાજ્યની મહા વિકાસ આઘાડી સરકાર આગામી 10 દિવસમાં આ અંગે નિર્ણય લેશે નહીં તો તેઓ આંદોલન શરૂ કરશે. તેમણે જણાવ્યું છે કે, મંદિર બચાવો કૃતિ સમિતિ એક મોટું આંદોલન શરૂ કરશે અને હું આંદોલનને ટેકો આપીશ.
કોરોના વાયરસને જોતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંદિરોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા અને કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો લાંબા સમયથી બંધ છે. તેની સાથે તહેવારોમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને, આ વખતે પણ દહી હાંડી ઉજવવાની કોઈ પરવાનગી આપવામાં આવી નથી. ગણેશોત્સવને લઈને પણ કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
વાસ્તવમાં બે દિવસ અગાઉ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પણ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેને કોરોનાની ત્રીજી લહેરને લઈને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે દહી હાંડી અને ગણેશ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી છે.
આ દરમિયાન અન્ના હજારેએ હવે મંદિર ન ખોલવામાં પર આંદોલનની કરવાની ચેતવણી આપી છે. અન્ના હજારેની આ ચેતવણી પર અત્યાર સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જ્યારે અન્ના હજારે સિવાય ભાજપ, MNS, MIM, બંધિત બહુજન આઘાડી જેવા રાજકીય પક્ષો પણ લાંબા સમયથી રાજ્યમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો ખોલવાની માંગણી કરી રહ્યા છે. આ રાજકીય પક્ષો દ્વારા ઘણા પ્રદર્શન કરવામાં આવી ચુક્યા છે.