આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો થી ચાલતા રામ મંદિર ના કેસનો આજે અતીમ ચુકાદો જાહેર કરવાનો હતો.આજે વર્ષોથી પેન્ડિંગ પડી રહેલા અયોધ્યા કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ કિલયર કરતા જણાવ્યુ છે કે અમે અદાલત જે પણ ચુકાદો આપશે તેનું સન્માન કરીશુ.અને કોર્ટ જે પણ નિર્ણય કરશે તે નું અમે સમ્માન કરીશું.અને કોઈ પણ જાતની દલીલી નહીં કરે.
અયોધ્યા રામ મંદિર કેસ પર ચાલી રહેલ વાતચીત પર ગુજરાત કોંગ્રેસે મોટું નિવેદન આપ્યું છે.અયોધ્યા કેસના ચુકાદા મુદ્દે નિવેદન આપતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે કહ્યું કોંગ્રેસનું સ્ટેન્ડ પહેલાથી ક્લીયર છે.અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું.અને કોઈ પણ જાતની દલીલ કરીશું નહીં.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં શાંતી અને સૌહાર્દ જળવાઈ રહે તે અગત્યનું છે અને સર્વોચ્ચ અદાલતનો જે કોઈ પણ નિર્ણય હોય તે અમને મંજૂર રહેશે.આમ ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસના શક્તિસિંહ ગોહેલ એ નિવેદન આપ્યું હતું.
આ ઉપરાંત પરેશ ધનની એ પણ અયોધ્યા રામ મંદિર કેસ ને લઈ ને મોટું નિવેદન આપ્યું હતું.પરેશ ધાનાણીએ કવિતા લખી સુપ્રીમના ફેંસલાને આવકાર્યો હતો.ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સુપ્રીમના ચુકાદાને આવકાર્યો છે અને આ અંગે કવિતા પણ ટ્વીટ કરી છે.અને ટ્વીટ કરીને કોર્ટના નિર્ણયનું સમ્માન કર્યું છે.અને કોર્ટના નિર્ણયનું સમ્માન કરતા કહ્યું હતું કે કોર્ટ જે પણ ફેંસલો આપશે તે અમને મંજુર તેમ કહી કોર્ટનું સમ્માન કર્યું હતું.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિર કેસનો ચુકાદો આવી ગયો છે.ત્યારે અયોધ્યા ની વિવાદિત જમીન રામલાલને આપાઈ છે અને મુસ્લિમોને અન્ય 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો છે.વિવિધ આગેવાનો દ્વારા સતત કોમી એખલાસ જાવવાના મેસેજ ચુકાદાના પગલે ગુજરાતમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે દરેક સમાજ અને ધર્મના આગેવાનો પણ કોમી એખલાસ જાળવી રાખવા સતત શાંતીની અપીલ કરી રહ્યા છે.
અને કોઈ પણ જાતની અફળતાફી ન મચે તે માટે શહેરમાં 144 લાગુ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ એ પણ આ મુદ્દે વાતચીત કરી હતી.ગુજરાતકોંગ્રેસ દ્વારા પણ આવી જ અપીલ કરવામાં આવી છે.જેમાં હિન્દૂ, મુસ્લિમ સહિતના દરેક ધર્મના આગેવાન શાંતી જાળવી રાખવા અપીલ કરી રહ્યા છે.અને હિન્દૂ મુસ્લિમ વચ્ચે કોઈ પણ જાતની અફળતાફી ન થાય તે માટે શાંતિ નો આદેશ આપ્યો છે.