ઘણા વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા રામ મંદિર નો ચુકાદો આવી ગયો છે. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે.સુપ્રીમ કોર્ટનો ફેસલા મુજબ સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જગ્યાને રામલલાની ગણાવી અને મુસ્લિમ પક્ષ ને બીજી અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાની વાત કરી છે.સાથો સાથ કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે.આમ આજે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવી ગયો છે અને વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખુબજ સમજી વિચારીને લીધો છે.અને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો કેટલાંય કારણોસર મહત્વપૂર્ણ છે એ જણાવીએ કે કોઇ વિવાદને ઉકેલવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું અગત્યનું છે.દરેક પક્ષને પોત પોતાની દલીલો રાખવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી. આને સમજી વિચારી ને અયોધ્યા રામ મંદિરો ચુકાદો કરવામાં આવ્યો છે.
આપણે સૌ જાણતાં હતા કે આજે અયોધ્યા પર છેલ્લી સુનાવણી થવાની છે.આ ઉપરાંત દેશની સુપ્રીમ કોર્ટે અયોધ્યા પર ચુકાદો સંભળાવી દીધો છે.આ ચુકાદાને કોઇની હાર કે જીત તરીકે જોવું જોઇએ નહીં અને કોઈ એ પણ આનો વીરોધ કરવો જોઈએ નહીં. રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ, અત્યારનો સમય આપણી માટે ભારતની ભક્તિની ભાવનાને સશકત કરવાનો છે. જેથી હિન્દૂ અથવા મુસ્લિમ પક્ષ ના લોકો એ કોઈ પણ જાતની ઝગડા ઝગડી કરવી નહીં. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા બનાવી રાખે, તેમ અયોધ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,એ જણાવ્યું હતું.
આ પછી કોર્ટ એ તેમનો એતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો.અને વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનો ચુકાદો આપ્યો હતો.કોર્ટનો નિર્ણય આવી ગયો છે,હવે અયોધ્યામાં ભવ્ય મંદિર બનશે.પરંતુ આપણે એવું કંઇ જ કરવાનું નથી જેનાથી કોઇ સમાજમાં ભય કે આક્રોશ ઉભો થાય.અને કોઈ પણ પ્રકાર નો ઝગડો કે મારપીટ થાય તેવી સ્થિતિ ઉત્પન્ન કરવી નહીં.આપણે એ મર્યાદાઓનું પાલન કરવાનું છે જેને મર્યાદાઓ સ્વયં ભગવાન શ્રીરામ જીવ્યા.
આ ઉપરાંત મોહન ભગવાને પણ આ નિર્ણય પર નિવેદન આપ્યું હતું.અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભાઇચારો બનાવી રાખવાના પ્રયાસોનું સ્વાગત.નિર્યણને હાર-જીત તરીકે ના જુઓ. હિન્દૂ કે મુસ્લિમ કોઈ પણ પક્ષ ના લોકો આને ખોટું ના સમજો,દાયકા સુધી ચાલેલી કાયદાકીય લડાઇનો ચુકાદો આવી ગયો છે. જૂની વાતોને ભૂલીને મળીને મંદિર નિર્માણ કરવામાં આવે અને અહીં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવે છે. કોર્ટે મસ્જિદ નિર્માણ માટે જે વાત કહી છે, તે જમીન સરકારે આપવાની છે.અને મુસ્લિમ લોકો ને પણ અન્ય જગ્યા પર 5 એકર જમીન આપવાની છે. સરકાર એ વાતને નક્કી કરશે કે તેમને જમીન કયાં આપવાની છે.
આ ઉપરાંત અમિત શાહ એ પણ નિવેદન આપ્યું હતું.મને પૂર્વ વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ આ ઐતિહાસિક નિર્ણય પોતાનામાં જ એક મીલનો પથ્થર સાબિત થશે,અને કોઈ પણ હિન્દૂ કે મુસ્લિમ ભાઈઓ એ ભાઈચારો કરવો નહીં અને કોર્ટના નિર્ણયની પર સંમતિ રાખે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી શ્રીરામ જન્મભૂમિ પર સર્વસહમતિથી આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું હું સ્વાગત કરું છું. જેમ કહી અમિત શાહ એ પણ કોર્ટના નિર્ણયનું સમ્માન કર્યું હતું.
આ ઉપરાંત મુસ્લિમ પક્ષ ના નેતાઓ એ પણ રામ મંદિરના ચુકાદા પર નિવેદન આપ્યું હતું.અને મુસ્લિમ પક્ષ ના નેતાઓએ એ કહ્યું હતું કે સવાલ 5 એકર જમીનનો નથી. અમે મસ્જિદ કોઇને આપી શકીએ નહીં.મસ્જિદને હટાવી શકાય નહીં.અમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખો વાંચીને આગળની રણનીતિ બનાવીશું તેમ જફરયાબ જિલાની મુસ્લિમ પક્ષના વકીલ એ કોર્ટમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત મુસ્લિમ પક્ષ ના વકીલ જફરયાબ જલાની એ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. હું દેશના લોકોને અપીલ કરું છું કે કોઇપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ના કરે.અને શાંતિ પૂર્વક કોર્ટના ચુકાદાનું સમ્માન કરે. મુસ્લિમ પક્ષ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નથી. અમે વકીલ રાજીવ ધવન સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશું અને પડકારવા અંગે વિચારીશું.જફરયાબ જલાની મુસ્લિમ પક્ષના વકીલ એ આમ જણાવ્યું હતું.
ઇકબાલ અંસારી, મુસ્લિમ પક્ષકાર એ જણાવ્યું હતું કે,અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. આ રાજ્ય સરકારની ઉપર છે કે તે અમને કયાં જમીન આપે છે.અને અમને ક્યારે જમીન આપે,આ બારત માટે ખૂબ મોટો મુદ્દો હતો જેનો ઉકેલ આવવો જરૂરી હતો. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેટલાંય વિરોધાભાસની વાત કહી હતી,મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું હું ચુકાદાથી સંતુષ્ટ નથી.જો કે હું કોર્ટના નિર્ણયનું સમ્માન કરું છું. રામલલાના પક્ષમાં આવેલા ચુકાદાને મુસ્લિમ પક્ષ પડકારશે.
આપણા ન્યાયતંત્રમાં પર વિશ્વાસ છે. હું બધાને સુપ્રીમ કોર્ટનાચુકાદાને સ્વીકારવા અને શાંતિ જાળવવા અપીલ કરું છું. : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ આવું નિવેદન આપ્યું હતું.આ ઉપરાંત જણાવ્યું હતું કે
અયોધ્યામાં શ્રીરામ હોસ્પિટલની સામે મુખ્ય માર્ગ પર સ્થાનિક નાગરિકોના જવા પર પ્રતિબંધ મૂકાયો છે.અયોધ્યાના તમામ મુખ્ય રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત.અને શહેરમાં 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરની અંદર ફોર વ્હિલર વાહનોની અવરજવર પર પ્રતિબંધિત મૂકાયો.આ ઉપરાંત શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.
પીએમ મોદીએ ચુકાદા પહેલાં ટ્વીટ કરી જણાવ્યું છે કે, ‘અયોધ્યા ઉપર સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવશે તે કોઈની હાર-જીત નહીં હોય.હિન્દૂ કે મુસ્લિમ બન્ને પક્ષ ના લોકો શાંતિ પૂર્વક કોર્ટ ના નિર્ણય નું સમ્માન કરવું જોઈએ.દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા બધાની એ પ્રાથમિકતા રહે કે નિર્ણય ભારતની શાંતિ, એક્તા અને સદભાવનાની મહાન પરંપરાને બળ આપે.અને કોઈ પણ જાતના ઝગડા કે વિવાદિત વસ્તુઓ દ્વારા ઉલગણ કરવું નહીં.
દેશની ન્યાયપાલિકાને માન સન્માનનો સર્વોપરી રાખતા સમાજના દરેક પક્ષોએ સામાજિક- સાંસકૃતિક સંગઠનો, દરેક પક્ષકારોએ ગત દિવસોમાં સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે પ્રયત્નો કર્યા જે આવકાર દાયક છે.અને કોર્ટ ના નિર્ણય નું પાલન કરવું જોઈએ અને ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. કોર્ટના નિર્ણય બાદ આપણે બધાયે મળીને સૌહાર્દ બનાવી રાખવાનું છે.અને કોઈ પણ જાતનો ઝગડો કે અમારી જીત થઈ તમારી હાર થઈ આવા કોઈ પણ જાતના નિવેદનોએ આપવા નહીં.