દેશના આ રાજયમાં બકરીના દૂધની ડિમાન્ડ વધી, પ્રતિ લિટરનો ભાવ 1500 રૂપિયા પહોંચ્યો

ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ ફાટી નીકળતા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે. જેના કારણે તેના એપિસેન્ટર ફિરોઝાબાદમાં તો હાલ એવી પરીસ્થિતિ બની ગઈ છે કે ત્યાં બકરીનું દૂધ 1500 રૂપિયા લિટર સુધી વેચાઈ રહ્યું છે. બકરીના દૂધથી પ્લેટલેટ કાઉન્ટ વધે છે તેવી ગેરસમજને કારણે લોકો તેને ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે થોડા દિવસ પહેલા 50 રુપિયે લિટર વેચાતા બકરીના દૂધના ભાવ 1500 રુપિયા પહોંચી ગયા છે.

જ્યારે ફિરોઝાબાદના સદર બજારમાં ચાની કિટલી ધરાવનાર એક વ્યક્તિના જણાવ્યા મુજબ, તેમની પાસે બકરીનું દૂધ ખરીદવા આવનારા લોકોનું પ્રમાણ છેલ્લા એક મહિનામાં ઘણું વધ્યું છે. ડેન્ગ્યુમાં વધારો થયો ત્યારથી બકરીના દૂધની ડિમાન્ડ વધારો થયો છે. તેનો ભાવ 50 રુપિયા લિટરથી 1500 રુપિયા લિટર પહોંચી ગયો છે.

જેના કારણે ચાની કિટલી ચલાવનાર આ વ્યક્તિએ હાલ માત્ર બકરીનું દૂધ જ વેચવાનું શરુ કરી નાખ્યું છે. નામ ના આપવાની શરતે તેમણે જણાવ્યું છે કે, આ વિસ્તારમાં કોમર્શિયલ ધોરણે બકરીના દૂધનું ઉત્પાદન ના થતુ હોવાથી તેની સપ્લાય ઓછી થાય છે.

તેની સાથે શહેરના આદર્શનગર વિસ્તારમાં રહેનાર અરવિંદ શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આયુર્વેદિક દવા આપતા એક વ્યક્તિએ તેમને કહ્યું હતું કે, બકરીનું દૂધ પીવાથી ડેન્ગ્યુ સામે રક્ષણ મેળવાય છે. તેમ છતાં, જ્યારે તેમણે પોતાના દૂધવાળાને બકરીના દૂધનો ભાવ પૂછ્યો ત્યારે તેણે 1500 રુપિયા કહેતા તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. રસપ્રદ વાત એ રહી છે કે, હાલ તો 1500 રુપિયા આપતા પણ બકરીનું દૂધ મળી રહ્યું નથી. આ સિવાય નારિયેળ પાણી, કિવી અને પપૈયાના પાંદડાની ડિમાન્ડમાં પણ જોરદાર વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે સામાન્ય રીતે બકરીના દૂધની ખાસ ડિમાન્ડ હોતી નથી. અમુક લોકો તેને અંગત વપરાશ માટે મંગાવે છે. આવા રેગ્યુલર કસ્ટમર્સ માટે જ દૂધવાળા બકરીનું દૂધ લાવે છે. તેમ છતાં, ફિરોઝાબાદમાં ડેન્ગ્યુના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો આવતા બકરીના દૂધની ડિમાન્ડ અચાનક વધારો થયો છે. આ કારણોસર શહેરમાં દૂધનો ધંધો કરતા લોકો કમાણી કરવા ગામડાંમાંથી બકરીનું દૂધ લાવી રહ્યા છે અને તેનું ઉંચી કિંમતે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

તેમ છતાં બકરીનું દૂધ પીવાથી ડેન્ગ્યુના દર્દીના પ્લેટલેટ કાઉન્ટ વધે છે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર રહેલ નથી. યુપીના આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટર એ.કે. સિંઘના જણાવ્યા મુજબ, ગાય અને બકરીના દૂધમાં લગભગ સરખા જ પોષક તત્વો રહેલા હોય છે. જેમને ડેન્ગ્યુના લક્ષણ દેખાતા હોય તેમણે બકરીના દૂધથી સાજા થવાની આશા રાખવાને બદલે ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જરૂરી છે. મચ્છરની ઉત્પત્તિ અટકે તેવા પ્રયત્ન કરવા જોઈએ. કેમકે ડેન્ગ્યુ મચ્છરોથી ફેલાય છે.

Scroll to Top