જો તમારે આવનારા દિવસોમાં બેન્કનું કોઈ કામ છે તો તેને જલ્દી જ સમાપ્ત કરી નાખો. નહિતર તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેમકે આવનારા સાત દિવસમાંથી 4 દિવસ સરકારી બેન્ક બંધ રહેવાની છે. જેના કારણે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં 28 થી 31 ઓગસ્ટ સુધી બેન્કોના તમારા કામકાજ થઈ શકશે નહીં.
28 ઓગસ્ટના આ મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે બેન્કમાં રજા રહેવાની છે. જ્યારે 29 ઓગસ્ટના રવિવાર છે. તેના કારણે સમગ્ર દેશની દરેક બેન્કો બંધ રહેવાની છે. તેની સાથે 30 ઓગસ્ટ 2021 શ્રીકૃષ્ણ જન્માષ્ટમી હોવાના કારણે દેશની મોટાભાગની બેન્કો બંધ રહેવાની છે. આ સિવાય ઘણી જગ્યાઓ પર 31 ઓગસ્ટના જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ કારણોસર 31 ઓગસ્ટના પણ અમુક શહેરોમાં બેન્કો બંધ રહેવાની છે. તેમ છતાં આ રજાઓ રાજ્યોના હિસાબ મુજબ રહેવાની છે.
તેમાં પણ 30 ઓગસ્ટ 2021 ના રોજ જન્માષ્ટમી હોવાના કારણે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દહેરાદુન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલાંગ, શિમલા, શ્રીનગર અને ગંગટોકની બેન્કોના કામકાજ બંધ રહેશે. તેની સાથે 31 ઓગસ્ટ 2021 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદની બેન્કોના પણ કામકાજ બંધ રહેવાના છે. જ્યારે આ રીતે રહેશે રજાઓ
- 28 ઓગસ્ટ ના ચોથો શનિવાર
- 29 ઓગસ્ટ ના રવિવાર
- 30 ઓગસ્ટ ના કૃષ્ણ જન્માષ્ટમી (અમુક શહેરોમાં રજા રહેશે)
- 31 ઓગસ્ટ ના કૃષ્ણ જન્માષ્ટમી (અમુક શહેરોમાં રજા રહેશે)