Religious

અમદાવાદ પાસે આવેલું છે વિઘ્નહર્તા ગણેશજીનું અદભૂત મંદિરઃ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું છે કેન્દ્ર

આજે ગણેશજીનો વાર બુધવાર છે. ભગવાન ગણેશજીના અનેક મંદિરો સુપ્રસિદ્ધ છે. પણ આજે એક એવા મંદિરની વાત કરવી છે કે જે ખૂબ જ અદભૂત, અલૌકિક અને દિવ્ય છે. વાત છે અમદાવાદ પાસે આવેલા મહેમદાવાદમાં આવેલા સિદ્ધીવિનાયક મંદિરની.

આ ગણેજીના મંદિરનો આકાર જ દુંદાળા ગણપતિજી જેવો છે! અહીં દર્શન કરનારો દરેક વ્યક્તિ પોતાને ધન્ય-ધન્ય સમજે છે. આ મંદિરની સ્થાપના બાદ અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીં આવી ચૂક્યા છે અને આ ટુરિસ્ટ પ્લૅસ તરીકે વિકાસ પામી રહ્યું છે. આ મંદિર અમદાવાદ સિટીથી લગભગ 24થી 25 કિલોમીટર દૂર આવેલું છે. ઉપરાંત આ મંદિરની ખાસ બાબત એ છે કે, આ મંદિર મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર સાથે સીધો સંબંધ રાખે છે.

આ મંદિરનું નિર્માણ નદીના કિનારે બનાવવામાં આવ્યું છે એના કારણે દર્શનાર્થીઓ તો ઠીક પરંતુ સહેલાણીઓ કે, જેમને હરવા-ફરવાનો ખૂબ જ શોખ હોય છે તેવા લોકો પણ આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતાં નથી.

મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર સાથે સીધો સંબંધ ધરાવતા અમદાવાદના આ ગણેશ મંદિરની વધુ એક ધ્યાનાકર્ષક બાબત તો એ છે કે, ગણેશજીના આ મંદિરના નિર્માણમાં ક્યાંયે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ જ થયો નથી! આ ગણેશ મંદિરનો પાયો (ફાઉન્ડેશન) જમીનથી લગભગ 20-25 ફૂટ ઊંડે કરેલું છે. આશ્ર્ચર્યની બાબત તો એ છે કે, આ ગણેશ મંદિરને એક જ શિલા ઉપર ઉભું કરાયેલું છે.

વિશ્વના અન્ય દસે’ક જેટલાં દેશમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ અહીં સ્થાપિત કરાયેલી હોઈ આ મંદિરની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે. આ મંદિરમાં એક-બે નહીં, પરંતુ પાંચ-પાંચ માળ નિર્માણ પામ્યાં છે. આ મંદિરમાં વિશાળ સત્સંગ હૉલનું પણ નિર્માણ કરાયેલું છે. અહીંયા ગણેશજીના વિવિધ સ્વરૂપોના દર્શન પણ થાય છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker