ભાજપ સરકારને પછાડવા ગુજરાત કોંગ્રેસે તૈયાર કર્યો માસ્ટરપ્લાન, તારીખ 12 અને 15 એ આ મુદ્દાઓ સાથે કરશે વિરોધ પ્રદર્શન
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં હાલમાં જ પેટાચૂંટણી ખતમ થઈ છે. ત્યારે ભાજપને ત્રણ બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે, અને કોંગ્રેસ ને પણ ત્રણ બેઠક પર વિજય મળ્યો છે. ત્યારે રાધનપુર બેઠક વધુ ચર્ચા માં રહી હતી. રાધનપુર બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા અલ્પેશ ઠાકોર ને કરારી હાર મળી હતી. અને જનતા એ અલ્પેશ ઠાકોર ને ઘરભેગા કરી દીધાં હતા.
પરંતુ કોંગ્રેસની થતી વારંવાર હાર ના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ ગુસ્સે થયા હતાં. અને ગુજરાત કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ને ચેતવણી આપી હતી.અને આર્થિક ખર્ચ પર નિયંત્રણ રાખવાની વાત કરી હતી.
આ પછી ગુજરાત કોંગ્રેસ ફરી એક વાર સક્રિય બની છે. અને ભાજપને ઘેરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે.અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ભાજપને પછાંડવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ગુજરાત કોંગ્રેસ 12 અને 15 તારીખે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી વિરોધ પ્રદર્શ કરવાની વાત કરી છે. અને ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે બેરોજગારી અને આર્થિક મંદીના મુદ્દે ગુજરાત કોંગ્રેસે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરવાનું નક્કી કર્યુ છે.
ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે 12 અને 15 તારીખ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અને આ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા થયેલી જાહેરાત પ્રમાણે દેશભરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવશે. અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 12 તારીખે શહેર અને જિલ્લા કક્ષાએ કોંગ્રેસના નેતાઓ વિરોધ કરશે તો 15 તારીખે પ્રદેશ કક્ષાએ ગુજરાત કોંગ્રેસ કાર્યક્રમો યોજશે.
આમ 12 અને 15 તારીખે ગુજરાત કોંગ્રેસ આ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરશે.15મીએ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને ઓબ્ઝર્વર પણ હાજર રહેશે. આમ ગુજરાત કોંગ્રેસ આ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરશે.