ભારત નું એકમાત્ર રેલવે સ્ટેશન,જ્યાં જવા માટે લેવા પડે છે વિઝા,જાણો એના વિશે વિગતે..
આંતરરાષ્ટ્રીય એર કંડિશનર રેલ્વે સ્ટેશન અટારી સામાન્ય રીતે, તમારે સ્ટેશન પર જવા માટે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ અથવા મુસાફરીની ટિકિટ જ ખરીદતા હોય છે. પરંતુ આપણા દેશમાં એક રેલ્વે સ્ટેશન એવું પણ છે જ્યાં તમારે પાસે “વિઝા”હોવા આવશ્યક છે. તમને આ જાણીને આશ્ચર્ય થયું હશે, પરંતુ આ સત્ય છે. જો તમે વિઝા વિના આ સ્ટેશન પર જાઓ છો, તો તે ગેરકાનુની ગણાય છે. વિઝા વગર જવાથી આ સજા આપવામાં આવે છે અટારી સ્ટેશન, અહીં પ્રવેશ કરવા માટે લેવા પડે છે વિઝા.
અટારી દેશનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય રેલ્વે સ્ટેશન છે જે વાતાનુકુલિત છે. અહીં જવા માટે પાકિસ્તાની વિઝા હોવું જરૂરી છે.તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કોઈ પણ દેશનો નાગરિક વિઝા વિના કોઈપણ રીતે આ સ્ટેશનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો 14 વિદેશી કાયદા હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેની જામીન પણ મુશ્કેલ છે.
અહી કોઈ પણ કૂલી નથી.
અટારી સ્ટેશન પર મુસાફરો પોતાનો સામાન પોતાને જાતે જ લઈ જતા હોય છે આ રેલ્વે સ્ટેશન પર કોઈ કુંલી નથી,તેમને અહીં કામ કરવાની છૂટ નથી.તેથી મુસાફરોએ પોતાનો સામાન જાતે ઉપાડવો પડે છે જેના માટે ત્યાં ટ્રોલીઓ ઉપલબ્ધ છે. અહીં અન્ન અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા છે અને ભોજન પણ ખૂબ સારૂ મળે છે.
દરેક પલની જાણકારી મળે છે.
તૈનાત સૈન્ય કર્મીઓ આ રેલ્વે સ્ટેશનની દરેક ક્ષણની માહિતી રેલ્વે મુખ્યાલય (બરોડા હાઉસ, દિલ્હી) પર હોય છે. સુરક્ષા કર્મીઓ અટારી સ્ટેશન પર ચોવીસ કલાક ઉભા રહે છે. દેશની સૌથી વીવીઆઈપી ટ્રેન સમજુતા એક્સપ્રેસ અહીંથી દોડે છે. મુસાફરો દ્વારા રેલ્વે ટિકિટ ખરીદવા પર પાસપોર્ટ નંબર લખવામાં આવે છે અને તેમને કન્ફર્મ સીટ આપવામાં આવે છે.
જો ટ્રેન મોડી પડે તો કરવું પડે છે આ કામ.
અટારી થી નિકળતી ટ્રેનજો કોઈ કારણોસર ટ્રેન મોડી પડે છે, તો ભારત અને પાકિસ્તાનને બંને દેશોમાં મોડું થવાનું કારણ કહેવામાં આવે છે અને રજિસ્ટર પર એન્ટ્રી થાય છે. આ ઉપરાંત સ્ટેશન પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહે છે, પંજાબ પોલીસ રેલ્વે સ્ટેશન 24 કલાક ચોકી કરે છે. રેલ્વે સ્ટેશન આરપીએફ, જી આર પી, સહિત ખુફીયા અને સુરક્ષા એજન્સીઓના પહેરા હેઠળ રહે છે.
ફોટોગ્રાફી પર પ્રતિબંધિત છે.
અટારી સ્ટેશન પર ફોટોગ્રાફ કરનારા મુસાફરો પ્રવાસીઓ આ રેલ્વે સ્ટેશનને દૂરથી જોઈ શકે છે, પરંતુ તે અંદર જઈ શકશે નહીં. અહીં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે.જો તમારે રેલ્વે સ્ટેશનની અંદર જવું હોય, તો તમારે ગૃહ મંત્રાલયના વિવિધ વિભાગોની પરવાનગી લેવી પડશે.