500 રૂપિયાને લઇ મોટું અપડેટ, ગાંધીજીની તસવીર પાસે લીલી પટ્ટી છે, તો શું નોટ નકલી છે?

થોડા વર્ષો પહેલા મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પછી 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી છે. ત્યારથી આ જ નોટ ચલણમાં છે. જો કે આ નોટો અસલી અને નકલી હોવા અંગે ઘણી વખત ઘણી બાબતો સામે આવી હતી. હવે ફરી એકવાર 500 રૂપિયાની નોટ નકલી હોવાનો મામલો સામે આવ્યો છે.

તસવીર વાયરલ થઈ રહી છે

સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં 500-500 રૂપિયાની બે નોટ જોવા મળી રહી છે. તેમાંથી 500 રૂપિયાની નોટ પર જ્યાં ગાંધીજીનો ફોટો છે તેની બાજુમાં લીલી પટ્ટી છે. બીજી તરફ બીજા ફોટામાં લીલી પટ્ટી ગાંધીજીના ફોટાથી થોડે દૂર છે અને RBI ગવર્નરની સહી પાસે છે.

આ સરખામણી થઈ

હવે આ બંને નોટોની સરખામણી કરતાં કહેવામાં આવ્યું છે કે, ‘500 રૂપિયાની તે નોટો ન લો, જેમાં ગાંધીજીની નજીક લીલી પટ્ટી બનેલી છે, કારણ કે તે નકલી છે. ફક્ત તે 500 ની નોટો લો, જેમાં આરબીઆઈ ગવર્નરની સહી સાથે લીલી પટ્ટી હોય. કૃપા કરીને આ સંદેશ તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડો. જો કે, જ્યારે આ મેસેજ ચેક કરવામાં આવ્યો ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

નકલી મેસેજ

PIB ફેક્ટ ચેક દ્વારા આ દાવાને નકલી ગણાવ્યો છે. સાથે જ PIB ફેક્ટ ચેકથી એવું કહેવામાં આવ્યું છે કે RBI અનુસાર બંને પ્રકારની નોટો માન્ય છે.

Scroll to Top