ભાજપે બનાવી એક મહત્વની રણનીતિ, અનુરાગ ઠાકુરને આપી આ મહત્વની જવાબદારી

લખનઉ: 2022 ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022) માટે સત્તાધારી ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન લખનઉમાં પડાવ નાખી રહ્યા છે અને પાર્ટીના પ્રભારી નેતાઓ સાથે સતત બેઠક કરી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે રોડમેપ તૈયાર કર્યો છે. આ અંગે પાર્ટીએ રોડમેપ તૈયાર કરવાની જવાબદારી પ્રભારી અને સહ-પ્રભારીઓને સોંપી છે. ચૂંટણી પ્રચારની તૈયારીઓ જોવા માટે, પાર્ટીએ અગાઉ પ્રદેશ મુજબના પ્રભારીઓની જાહેરાત કરી હતી અને હવે ચૂંટણી સહ-પ્રભારીઓને પ્રદેશવાર ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન લખનઉમાં તેમના તમામ સહ-પ્રભારીઓ સાથે સતત બેઠક યોજી રહ્યા છે. આ બેઠકોમાં ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં સહ ચૂંટણી પ્રભારી અનુરાગ ઠાકુરને ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

અનુરાગ ઠાકુરને સૌથી મહત્વપૂર્ણ મીડિયા અને સોશિયલ મીડિયાને સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે યુવાનોને સંભાળવાની જવાબદારી અનુરાગ ઠાકુરને આપવામાં આવી છે. અનુરાગ ઠાકુર અગાઉ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે અને યુવાનોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. અનુરાગ ઠાકુરે લખનઉમાં પાર્ટીના પ્રવક્તાઓ અને સોશિયલ મીડિયા ટીમના સભ્યો સાથે પણ બેઠક કરી ચુક્યા છે.

25 સપ્ટેમ્બરથી પન્ના પ્રમુખ સંમેલનની શરૂઆત

આ સિવાય અન્ય સહ-પ્રભારીઓને પ્રદેશવાર ચૂંટણીની તૈયારીઓની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કસર બાકી ન રહે. 25 સપ્ટેમ્બરે દીન દયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભાજપ ઉત્તર પ્રદેશમાં પન્ના પ્રમુખ સંમેલનો પણ શરૂ કરવા જઈ રહી છે, જેમાં પાર્ટી ચૂંટણીમાં તેના છેલ્લા કાર્યકર્તાને સક્રિય કરવા માટે પણ કામ કરશે.

Scroll to Top