IndiaNewsPolitics

હું 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર નહીં કરું: બાબા રામદેવ

યોગાગુરુ બાબા રામદેવે જણાવ્યુ હતુ કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર નહી કરે. વડાપ્રધાન નરેદ્ર મોદીની ખતરાની ઘંટડી વગાડતા બાબા રામદેવે જણાવ્યુ કે, જો મોંઘવારી અને ભાવવધારો કન્ટ્રોલમાં નહીં આવે તો, સરકારને તે મોંઘુ પડશે
બાબા રામદેવે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં ચર્ચા કરતી વખતે આ વાત કહી હતી.

યોગા ગુરુએ પતંજલિ બ્રાન્ડ હેઠળ મોટા પ્રમાણમાં દેશમાં માર્કેટ ઉભુ કર્યું છે. યોગા ગુરુને 2015માં હરિયાણા સરકાર દ્વારા કબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એક તરફ વધી રહેલા પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધારા વિશે બોલતા તેમણે કહ્યું કે, જો મને મોકો આપવામાં આવે તો, હું અત્યારે જે ભાવે પેટ્રોલ અને ડિઝલ મળે છે તેના કરતાં અડધા ભાવે હું વેચીશ.”

2014ની લોકસભાની ચૂંટણીમાં બાબા રામદેવે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો હતો. આ પછી, 2015ના વર્ષમાં હરિયાણા સરકારે તેમને હરિયાણાના બ્રાન્ડ એમ્બેસેડર નિમ્યા હતા અને લાલ લાઇટ વાળી કાર અને સુરક્ષા આપી હતી. બાબા રામદેવ જ્યારે હરિયાણા રાજ્યની મુલાકાત લે ત્યારે તેમને એસ્કોર્ટ વાહન પણ ફાળવ્યું હતું.

બાબા રામદેવને જ્યારે એમ પુછવામા આવ્યું કે તેઓ આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે ? ત્યારે બાબા રામદેવે જણાવ્યું, “હું શા માટે કરું ?”

બાબા રામદેવે એમ જણાવ્યુ કે, છેલ્લા થોડા સમયથી તેઓ રાજકારણથી આઘા રહે છે અને કહ્યુ કે .“મેં મારી જાતને રાજકારણી દુર કરી દીધી છે. હું બધી જ રાડજકીય પાર્ટીઓ સાથે છું અને કોઇની સાથે નથી.

…તો 2019માં ઉથલી જશે મોદી સરકાર: બાબા રામદેવ

બાબા રામદેવે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મોદી સરકારને ઘણા સૂચનો આપ્યા છે અને સાથે જ સલાહો આપ્યા છે. તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન મોદીએ મોંઘવારીને કાબુમાં ન કરી તો 2019માં તેમને આ બહુ મોંઘુ પડશે. તેમણે કહ્યું કે, ‘અમે એવા કામ કર્યા છે જેનાથી દેશના લોકોને ફાયદો થાય. અમે કામ કર્યા જેનાથી ખેડૂતોને તેમના દૂધની વધુ કિંમત મળે અને દેશના લોકોને સસ્તા ભાવે દૂધ મળે. આનાથી પતંજલિને 50 પૈસા કે 1 રૂપિયાનો સાધારણ નફો થાય તો પણ.’

તેમણે કહ્યું કે, મોંઘવારની મારમાં અમે પેટ્રોલ-ડીઝલના ભાવને ઘટાડી શક્યા નથી કારણ કે, તે અમારા નિયંત્રણમાં નથી, તે સરકારના હાથમાં છે. અમારા અંકુશમાં જે છે તેનાથી અમે લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કરી રહ્યાં છીએ.

બાબા રામદેવે કહ્યું કે, ‘એ વાત સાચી છે કે, થોડા દિવસ પહેલા સુધી ક્રૂડ ઑઈલના ભાવ તળિયે હતા, હવે થોડા વધ્યા છે. તેમ છતા જો ટેક્સ ઓછો કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે આગ લાગેલી છે તેના પર ટેક્સ ખતમ કરી દેવામાં આવે તો આજે પણ તેની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે.’

‘વડાપ્રધાન મોદી તમારી વાત સાંભળે છે’ આ વાતની પ્રતિક્રિયા આપતા રામદેવે કહ્યું કે, ‘મોદીજી અત્યારે સહી સલામત છે, ન તેઓ બહેરા છે ન મૂંગા. મને લાગે છે કે, તેઓ જરૂર મારી વાત સાંભળી રહ્યાં છે. અમે ભવિષ્યમાં પણ તેમને સંભળાવતા રહીશું. 2019નો મહાસંગ્રામ નજીક છે. તેના પહેલા સરકાર મોંઘવારીની આગ બુઝાવવી પડશે નહીં તો આ તેમને બહુ ભારે પડશે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker