પાકિસ્તાનમાં મહાસંકટ આવ્યું, વિદ્યાર્થીઓ હવે અભ્યાસ પણ કરી શક્શે નહીં

ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં હવે વધુ એક મોટું સંકટ સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આ દિવસોમાં કાગળની ભારે અછત છે. સ્થિતિ એ છે કે અહીંના પેપર સંગઠનોનું કહેવું છે કે આ સંકટના કારણે વિદ્યાર્થીઓને ઓગસ્ટથી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં પુસ્તકો મળી શકશે નહીં. આ આશંકા વચ્ચે પાકિસ્તાનના શિક્ષણ વિભાગમાં હલચલ મચી ગઈ છે.

ખરેખરમા આ સમયે પાકિસ્તાનમાં કાગળની ભારે અછત છે. દેશના પેપર એસોસિએશને કહ્યું છે કે, દેશમાં પેપર સંકટને કારણે ઓગસ્ટથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપલબ્ધ થશે નહીં. અહેવાલો અનુસાર પાકિસ્તાનમાં પ્રિન્ટિંગ અને પેકેજિંગ સાથે સંકળાયેલી લગભગ 18000 કંપનીઓ છે. પરંતુ હવે આ કંપનીઓ અને તેમના સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સરકારની ખોટી નીતિઓનો ભોગ બની રહ્યા છે.

બીજી તરફ આ સંકટની અસર શિક્ષણ ક્ષેત્ર પર પડશે. પાકિસ્તાનના પબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ એસોસિએશનએ એમ પણ કહ્યું હતું કે સિંધ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના સ્કૂલ બોર્ડ આગામી શૈક્ષણિક વર્ષ માટે નવા પાઠ્યપુસ્તકો છાપી શકશે નહીં અને લાખો વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. આ ઉપરાંત પાઠ્યપુસ્તકો ન મળવાથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અસર થશે.

પાકિસ્તાનમાં પ્રિન્ટિંગ અને પેકેજિંગ કંપનીઓ સરકારની નીતિઓને કારણે ભારે નુકસાનનો સામનો કરી રહી છે. પુસ્તક પ્રકાશકોએ ચેતવણી આપી છે કે જો દેશી બનાવટના પેપરના ભાવ નક્કી નહીં કરવામાં આવે તો આ વર્ષે વિદ્યાર્થીઓ માટે પુસ્તકોની ભારે અછત સર્જાશે. આ સિવાય સ્થાનિક કંપનીઓ પણ માંગના પ્રમાણમાં કાગળનું ઉત્પાદન કરી શકતી નથી.

પબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ એસોસિએશનના વડા અઝીઝ ખાલિદે જણાવ્યું હતું કે. જાન્યુઆરીથી ઘરેલુ કાગળના ભાવ પ્રતિ કિલો રૂ. 100 વધી ગયા છે. દર અઠવાડિયે પાંચથી આઠ રૂપિયાનો ભાવ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકારે આના પર અંકુશ લાવવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી. આના કારણે પ્રકાશન અને પ્રિન્ટિંગ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. પ્રકાશકોની સાથે પેપરની પણ ભારે અછત છે.પાકિસ્તાનમાં એવા સમયે પેપરની અછત સર્જાઈ છે જ્યારે અહીંની શાળાઓ અને કોલેજો ઓગસ્ટથી નવા સત્રની તૈયારી કરી રહી છે. પ્રકાશકોનું કહેવું છે કે કાગળની અછતને કારણે સિંધ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના સ્કૂલ બોર્ડ પુસ્તકો છાપી શકશે નહીં. બીજી તરફ કાગળની અછતને કારણે તેના ભાવ આસમાને છે. જ્યારે કેટલીક શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓના પરિવારો પર દબાણ લાવી શકે છે અને તેમને મોંઘા ભાવે પુસ્તકો ખરીદવા દબાણ કરી શકે છે.

નોંધનીય છે કે દરેક ક્ષેત્રમાં પાકિસ્તાન આ દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના નિષ્ણાતો માને છે કે આ બધી સમસ્યાઓ માટે અસમર્થ અને અસફળ શાસકો જવાબદાર છે. જ્યારે સરકારો પાછલી લોન ચૂકવવા માટે ફરીથી લોન લઈ રહી છે ત્યારે આર્થિક સમસ્યાઓ કેવી રીતે હલ થશે.

Scroll to Top