બાલિકા વધુની ‘દાદી સા’ સુરેખા સીકરીનું અવસાન

બોલીવુડ અભિનેત્રી સુરેખા સીકરીનું મુંબઈમાં નિધન થઈ ગયું છે. અભિનેત્રી ઘણા સમયથી બીમારીનો સામનો કરી રહી હતી. 2020 માં સુરેખા બ્રેન સ્ટ્રોકની શિકાર બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેત્રીનું નિધન આજે સવારે હાર્ટએટેકના કારણે થયું છે. તે બીજા બ્રેન સ્ટ્રોકના કારણે મુશ્કેલીઓ સામે લડી રહી હતી.

જ્યારે સુરેખા સીકરીની વાત કરવામાં આવે તો તેઓ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ખૂબ કામ કરી ચુક્યા છે. તેમણે વર્ષ ૧૯૭૮ માં ફિલ્મ કિસ્સા કુર્સીથી ડેબ્યુ કર્યું હતું. સુરેખા સીકરી ત્યાર બાદ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એટલું જ નહીં તેમને સપોર્ટીંગ અભિનેત્રી માટે ૩ વખત નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચુક્યો છે.

સુરખાએ વર્ષ 1971 માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ગ્રેજ્યુએશન કર્યું હતું. સુરેખા સીરકીએ વર્ષ ૧૯૮૯ માં સંગીત નાટક એકાદમી એવોર્ડ પણ જીત્યો છે. સુરેખા સીરકીને સૌથી વધુ લોકપ્રિયતા શો બાલિકા વધુમાં પોતાના પાત્ર કલ્યાણી દેવીથી મળી હતી.

સુરેખા સીકરીના અવસાનની જાણકારી તેમના મેનેજર દ્વારા આપવામાં આવી છે. મેનેજરે મીડિયાને જાણકારી આપી છે કે, દુઃખનો વિષય છે કે, સુરેખા જી હવે રહ્યા નથી. ૭૫ વર્ષની ઉમરમાં આજે સવારે તેમનું નિધન થઈ ગયું છે. બીજા બ્રેન સ્ટ્રોક બાદ તે ઘણા મુશ્કેલીમાં આવી ગયા હતા.

Scroll to Top