GujaratNews

આણંદના વટામણ-ભાવનગર હાઈવે પર થયો ભયંકર અકસ્માત, ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, પાંચના મોત

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આ બાબતમાં આણંદથી અકસ્માતની એક ઘટના સામે આવી છે. આણંદમાં ફરી એકવખત ગમખ્વાર અકસ્માત થયો છે. આણંદમાં ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત થયા છે. વટામણ-ભાવનગર હાઈવે પર વારના ગામ પાસે ઈકો કાર અને ટેન્કર સામ-સામે ટકરાતા ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના લીધે ગંભીર અકસ્માત સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વટામણ ભાવનગર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ઈકો કાર ટેન્કરની અંદર ઘૂસી ગઈ હતી, જેથી તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જયારે અન્ય ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ખંભાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

જ્યારે અકસ્માતની જાણ થતા જ આણંદની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આણંદની કોઠ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના લીધે પોલીસે વાહનોને હટાવીને ટ્રાફિકને દુર કર્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker