કોરોનાના કહેરને જોતા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10 મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી. જેને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 15 મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. તેમ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જ્યારે આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરાયું છે.

રાજ્ય સરકાર દ્વારા એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11 માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે, રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં અત્યારે છેલ્લા થોડા દિવસોથી ૭૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં જ્યારે ગઈ કાલે ૭૪૧૦ કેસ સામે આવ્યા છે. જ્યારે સરકાર દ્વારા આ કોરોનાના કેસ જોતા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેનાથી પરીક્ષાના કારણે વિધાર્થીઓ કોરોનાની ઝપેટમાં ના આવે તે માટે આ નિર્ણય લીધો છે.

Scroll to Top