કોરોના કહેર: દિલ્લીના ચાંદની ચોકમાં આ તારીખ સુધી દુકાનો રહેશે બંધ

કોરોના ચેપના કારણે દેશની રાજધાની દિલ્હીની હાલત બગડી રહી છે. આ દરમિયાન વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચાંદની ચોક માર્કેટ એસોસિએશને મોટો નિર્ણય લીધો છે. વેપારીઓએ 25 એપ્રિલ સુધીમાં પોતાની મરજીથી ચાંદની ચોક બજારને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જયારે બાઓલી માર્કેટની દિલ્હી કરિયાણા સમિતિ અને તિલક બજાર કેમિકલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા પોતાની મરજીથી 21 એપ્રિલ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બેઠકમાં શું બન્યું

ચાંદની ચોક વેપારીઓ સમિતિના અધ્યક્ષ સંજય ભાર્ગવે જણાવ્યું હતું કે, “આજે ચાંદની ચોક સર્વ વ્યાપાર મંડળની આપાતકાલીન બેઠક આજે બોલાવવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોના ચેપને ધ્યાનમાં રાખીને 25 એપ્રિલ સુધી બજારને બંધ કરી દેવામાં આવે.”

સંજય ભાર્ગવે જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, આવી સ્થિતિમાં વેપારીઓએ કોરોનાના સંક્રમણને રોકવા માટે આ નિર્ણય લીધો છે. બજાર ખુલવા અંગે તેમણે જણાવ્યું છે કે, આવતા રવિવારે આપણી ફરી એક બેઠક કરીશું, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

દિલ્હીનો સૌથી વ્યસ્ત વિસ્તાર ચાંદની ચોક

તમને જણાવી દઈએ કે, ચાંદની ચોક દિલ્હીનો સૌથી વ્યસ્ત અને ગીચ વિસ્તાર છે. જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો સામાનની ખરીદી માટે આવે છે. આવી સ્થિતિમાં આ ગીચ વિસ્તારના બજારમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.

દિલ્હીમાં રેકોર્ડ કેસ

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં કોરોનાના 25 હજાર 462 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 161 લોકોનાં મોત નીપજ્યાં છે.

Scroll to Top