India

છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફના જવાને તેના જ સાથીદારો પર ફાયરિંગ કર્યું: 4 જવાનો શાહિદ, 3 ઘાયલ

છત્તીસગઢમાં સુકમા માં સીઆરપીએફના જવાન દ્વારા સાથીદારો પર ગોળીબાર ના અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ 4 જવાનોના મોત થયા હતા. તેમજ અન્ય 3 જવાન ઘાયલ થયા છે. સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના સોમવારે સવારે 3.25 વાગ્યાની આસપાસ બની હતી. આરોપી સીઆરપીએફ જવાનની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં સીઆરપીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જવાન રિતેશ રંજને પોલીસ સ્ટેશન મેરીગુડા હેઠળ લિંગપલ્લી ખાતે તૈનાત કંપનીના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સાત જવાન ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભદ્રચલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.”

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઇજી), સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે રાયપુરથી લગભગ 400 કિમી દૂર સુકમા જિલ્લાના લિંગમ્પાલી ગામમાં સીઆરપીએફની 50મી બટાલિયનના કેમ્પમાં બપોરે 3.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ જવાને તેની સર્વિસ ગન એકે-47થી તેના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker