Cm રૂપાણી એ માણી રાજકોટ ના ચકડોળની મજા, જાણો વિગતે

હાલ ગુજરાત માં એક મીની વેકેશન જોવા મળે છે. સાતમ આઠમ ના પર્વ પાર ગુજરાત માં ઠેર ઠેર નાનામોટા મેળા જોવા મળે છે

પરંતુ ગુજરાત ના રંગીલા રાજકોટ નો મેળો આખા ગુજરાત માં ફેમશ છે સાતમ આઠમ પર્વ પર નો આ ખાશ મેળો છે.

સાતમ-આઠમ પર યોજાયેલા લોકમેળાનું ઉદ્ધાટન ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું.ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ ચકડોળમાં બેસી મજા માણી હતી.

પોતાના જૂના દિવસોને વાગોળ્યાં હતા.મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા,ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ.

તથા લાખાભાઇ સાગઠિયા,મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાની,શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં રાજકોટના લોકમેળાનું આગવું મહત્વ છે.દર વર્ષે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આ મેળામાં પહોંચે છે.

પાંચ દિવસ ચાલનારા આ મેળામાં અંદાજીત 1 હજારથી વધારે સ્ટોલ અને 50થી વધુ રાઈડ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

કાંકરીયા ખાતે બનેલી રાઈડ તૂટવાની ઘટના બાદ રાજકોટના મેળામાં તમામ રાઈડનું ચેકિંગ કરવામાં આવ્યું છેઅને આ તમામ રાઈડ નું ખુબજ ખાતરી પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા 78 અધિકારી અને 1300થી વધુ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.

પહેલી વખત પોલીસ દ્વારા 4G વોકી-ટોકીનો ઉપયોગ કરાશે.આ વોકી-ટોકીની ખાસિયત છે કે તેમાં વીડિયો કોલિંગ સાથે વાત-ચીત થઈ શકે છે.અને આ અત્યાઆધુનિક ટેકનીક સૌ પ્રથમવાર જોવામળી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top