કોંગ્રેસ માટે કાળમુખો કોરોનાં, ભરતસિંહ સોલંકી બાદ હવે આ ત્રણ દિગ્ગજ નેતા નો રિપોર્ટ આવ્યો પોઝીટીવ, જાણો વિગતે..
કોંગ્રેસને કોરોનાની કાળી નજર લાગી ગઈ છે એક પછી એક નેતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યસભા ઈલેક્શન બાદ અત્યાર સુધીમાં ચાર નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.19 તારીખે યોજાયેલી ચુંટણી બાદ હવે કોંગ્રેસના એક પછી એક નેતાઓને કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા છે.
જેમાંથી મળેલી માહિતી અનુસાર કોંગ્રેસના 4 નેતાઓને કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે બાદ ગુજરાત કોંગ્રેસમાં કોરોનાના કારણે ફફડાટ વધી ગયો છે. સૌથી પહેલા ભરતસિહ સોલંકીને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા જે બાદ તેમને રીપોર્ટ કરાવ્યો હતો.
અને તેમને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા વડોદરાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલકીં કોરોના ગ્રસ્ત થયા બાદ કોંગી નેતાઓ ટેસ્ટ કરાવવા દોડી ગયા હતા. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આજે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા કોંગી આગેવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે જામજોધપુરના ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવેલ હતો.ભરતસિંહ સોલંકી જે ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હતા.તેમને તમામે કોરોના ટેસ્ટ કરાવવા દોડધામ શરૂ કરી દીધી છે.રાજ્યસભાના ચૂંટણી સમયે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા જેના કારણે કોંગ્રેસમાં વધુ બીજા કેસો સામે આવે તેવી સંભાવના છે.
રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા કોરોના સંક્રમિત થયા છે. ચૂંટણી બાદ ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા છે. તો ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મૌલિન વૈષ્ણવ, ચેતન રાવલને પણ કોરોના થયો છે.
તો બીજી તરફ કોંગ્રેસના અનેક નેતાઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ હોમ ક્વોરન્ટાઇન છે. તો લાખાભાઈ ભરવાડ, હિમ્મતસિંહ પટેલ પણ હોમ ક્વોરન્ટાઇન થયા છે. જ્યારે અમિત ચાવડાએ MLAને તકેદારી રાખવા સલાહ આપી છે. લક્ષણો દેખાય તો રિપોર્ટ કરાવવા પણ કહેવાયું છે. અમિત ચાવડાએ પણ કોરોના રિપોર્ટ કરાવ્યો છે.
જે બાદ હવે બીજા ત્રણ તેનાઓને કોરોના પોઝીટીવ આવ્યો છે અને અમિત ચાવડામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ કોંગ્રેસના મૌલિક વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છેઅને તન રાવલના નજીકના વ્યક્તિ દ્ધારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે તેના આધારે મળેલી માહિતી અનુસાર ચેતન રાવલને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે.હવે ફરી એકવાર કોંગ્રેસના જામજોધપુરના MLA ચિરાગ કાલરિયાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.
જેના કારણે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ હાલ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.મળેલી માહિતી અનુસાર કોરોનાના લક્ષણ જણાતા તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હોવાની માહિતી હાલ મળી છે અને તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.આ સિવાય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ હાલ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.જોકે તેમનો કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.